ભાવનગર

કોરોનાની ચોક્કસ દવા શોધાઇ નથી ત્યાં સુધી વેક્સિન એ જ મેડિસિન છે : ભાવનગરના સાંસદ શ્રીમતિ ડો. ભારતીબેન શિયાળ



ભાવનગરના સાંસદ શ્રીમતિ ડો. ભારતીબેન શિયાળએ જણાવ્યું છે કે, જે રીતે છેલ્લાં એકાદ વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે. આ મહામારીનો તોડ શોધવાં માટે જગતાભરના વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યાં છે તે જોતાં કોરોનાને નાથવાની અક્સીર દવા દૂનિયા શોધી લેશે.

પરંતુ અત્યારે દેશમાં અને ગુજરાતમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યાં છે અને તેના સંક્રમણનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે તેને અંકુશમાં લાવવાનો અત્યારે એકમાત્ર ઉપાય કોરોનાનું રસીકરણ છે.

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે રીતે દેશભરમાં રસીકરણને વેગ આપવાં માટે “ટીકાકરણ ”અભિયાન દ્વારા દેશમાં મહત્તમ રસીકરણ થાય તેમ માટે તેઓ જે રીતે પ્રયત્ન કરી રહ્યાં છે. તેમાં આપણે રસીકરણ અભિયાન દ્વારા સાથ અને સહકાર આપવો રહ્યો.

તેમણે કહ્યું કે, કોરોનાની ચોક્કસ દવા વિશ્વ પાસે ઉપલબ્ધ નથી થઈ ત્યાં સુધી માત્ર અને માત્ર વેક્સિન એ જ અત્યારે મેડિસિન છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત પ્રયત્નોને કારણે ભારતીય એટલે કે દેશી વેક્સિન આપણાં દેશમાં બે પ્રકારની આવી ગઇ છે. અને ઉંમરના તબક્કા પ્રમાણે જે રીતે સમગ્ર દેશમાં વેક્સિનેશન કાર્ય ચાલી રહ્યું છે તે વિશ્વનો સૌથી મોટામાં મોટો વેક્સિનેશન કાર્યક્રમ બની રહ્યો છે.

તા.૨૮ એપ્રિલથી ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથના લોકોનું યુવા ગ્રુપ છે એમનાં માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આરોગ્ય સેતુ એપ અને કોવિન એપ્લિકેશનમાં આ માટેનું રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

તેમણે ભાવનગરવાસીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, કોરોનાના ઇંફેક્શનમાંથી બચવાં માટે માત્ર અને માત્ર વેક્સિન એ જ અકસીર ઉપાય છે ત્યારે આપણે સૌ વેક્સિન લઈએ અને ભારત દેશને ગુજરાત અને સમગ્ર ભાવનગરને પણ કોરોનામુક્ત બનાવીએ.

તેમણે ભાવનગરની જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરી “દરેક વ્યક્તિ રસી મુકાવે- કોરોનાને હરાવે” તેમ જણાવી સૌના મંગલની કામના પણ કરી છે.

Related Posts