કોરોનાની બીજી લહેરમાં હવે ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ હેલ્થ એક્સપટ્ર્સનું કહેવું છે કે કેટલાક દિવસ બાદ દેશ ત્રીજી વેવથી સંક્રમિત થઈ શકે છે. ત્રીજી વેવની ઝપટમાં દેશની ૩૫ ટકા સુધીની વસ્તી આવી શકે છે. આ સાથે જ એ પણ માનવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેરની સૌથી વધારે અસર બાળકો અને કિશોરોને થઈ શકે છે. આવી શક્યતાઓની વચ્ચે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે રાજ્યોને એક અઠવાડિયાની અંદર બાળકો માટે હેલ્થ ઇન્ફ્રાસ્ટરના આંકડાઓ આયોગમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
એનસીપીઆરના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ કહ્યું કે, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શું સ્થિતિ છે એ સેકન્ડ વેવમાં સામે આવી ગયું છે. હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તંગીથી પણ મોટી મુશ્કેલી એ છે કે વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સંપૂર્ણ રીતે ચાલું સ્થિતિમાં નથી. આનું મુખ્ય કારણ મેડિકલ સિસ્ટમમાં ટેક્નિશિયનની ભારે તંગીનું હોવું અને બેદરકારીભર્યું વલણ છે. સેકન્ડ વેવ દરમિયાન અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં વેન્ટિલેટર રાજ્યોમાં ઘૂળ ચાટી રહ્યા છે, કેટલાક વેન્ટિલેટર રિપેરિંગના અભાવે બેકાર પડ્યા રહ્યા.
તેઓ કહે છે કે, આ કારણે અમે સાવધાનીની સાથે રાજ્યો પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આંકડા માંગ્યા છે, જેનાથી જરૂરિયાતના સમયે બહનાબાજીની શક્યતા ના રહે. રાજ્ય એલર્ટ થઈ જાય અને અત્યારથી કેન્દ્ર સરકારને જણાવી શકે છે કયા રાજ્યમાં શું સ્થિતિ છે, કોને કેટલી મદદની જરૂરિયાત છે? આયોગે એક વિસ્તૃત ફોર્મ રાજ્યોને મોકલ્યું છે, પરંતુ આ ફૉર્મમાં આંકડા ભરતા સમયે રાજ્યોનો પરસેવો છૂટી જશે. આમાં બાળકોની સારવાર માટે કુલ હૉસ્પિટલ, નર્સિંગ હોમ, પ્રાથમિક સારવાર કેન્દ્ર, ડૉક્ટરો, નર્સોના આંકડાઓ ભેગા કરવામાં તો કદાચ રાજ્યોએ વધારે મથામણ નહીં કરવી પડે, પરંતુ આની આગળના આંકડાઓ માટે રાજ્યોને મુશ્કેલી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે પબ્લિક ડોમેનમાં રહેલા રિપોર્ટમાં ચાઇલ્ડ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આંકડા ગાયબ જાેવા મળી રહ્યા છે. તેથી આવામાં રાજ્યોએ આટલા ઝીણવટભર્યા આંકડા આપવા સરળ નહીં રહે.
આયોગે કયા આંકડાઓ રાજ્યો પાસે માંગ્યા છે?
– નિયોનેટલ ઇન્ટેસિવ કેર યૂનિટ – એનઆઈસીયૂ (૦થી ૨૮ દિવસના બાળકો માટે ઇન્ટેસિવ કેર યૂનિટ)
– સિક ન્યૂ બૉર્ન કેર યૂનિટ- એસએનસીયૂ (૨૮ દિવસની અંદર કોઈ પણ પ્રકારની બીમારી થવા પર)
– પીડિયાટ્રિક ઇન્ટેસિવ કેર યૂનિટ- પીઆઈસીયૂ (૦-૧૮ વર્ષના બાળકો માટે)ની સંખ્યા વર્તમાન સમયમાં કેટલી છે, કેટલી ચાલું સ્થિતિમાં છે અને કેટલી સેંક્શન થઈ.
– ગંભીર સ્થિતિમાં કોઈ બાળક હૉસ્પિટલ આવે તો કેટલા બેડ ચાલૂ સ્થિતિમાં છે
– વર્તમાન સમયમાં બાળકો માટે કેટલી એમ્બ્યુલન્સ ચાલું સ્થિતિમાં છે
– બાળકો માટે કેટલા રિસિડેન્શિયલ ડૉક્ટર છે અને કેટલા કૉલ પર બોલાવી શકાય છે
– વર્તમાન સમયાં કેટલો પેરામેડિકલ સ્ટાફ છે
– ઑક્સિજન કન્સટ્રેટર, નેબુલાઇઝર, ઑક્સિમીટર, ટ્રાસપોર્ટ વેન્ટિલીટર, રેડિયન્ટ વાર્મર, બેસિનેટ, પ્લોટોથિરેપી, લેરિંગોસ્કોપી, સ્કશન પંપ, ઑક્સિજન સિલેન્ડર સહિત ૨૨ મેડિકલ ઇક્વિપમેન્ટ વિશે પૂછવામાં આવ્યું છે કે કેટલા અત્યારે ચાલું સ્થિતિમાં, કેટલા ખરાબ અને કેટલાની રિપેરિંગની જરૂર છે. છેલ્લા ૩ વર્ષમાં એનઆઈસીયૂ, એસઆઈસીયૂ અને પીઆઈસીયૂમાં થયેલા બાળકોના મોતનો આંકડો પણ માંગવામાં આવ્યો છે.
Recent Comments