ગુજરાત

કોરોના ઈફેક્ટઃ અમદાવાદમાં ત્રણ પાળીમાં ચાલતુ ચોક્સી બજાર સજ્જડ બંધ

અમદાવાદમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. કોરોનાના ડરના કારણે લોકો સ્વયંભૂ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના મોટા ભાગના બજારો પણ બંધ જાેવા મળી રહ્યા છે. ત્યારે માણેકચોકનું સુપ્રસિદ્ધ ચોક્સી બજાર પણ કોરોનાના કારણે બધ રહ્યુ હતું.

વધેલા સંક્રમણને ધ્યાને રાખીને માણેકચોકના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે શનિ-રવિવારે માણેકચોકમાં ખરીદી માટે લોકો ઉમટતા હોય છે ત્યારે વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ રાખીને કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદમાં કોરોના બેકાબૂ બની ગયો છે. કોરોનાના રોજ ૨૫૦૦થી વધુ કેસો સામે આવી રહ્યા છે. રોજ રોજ કોરોનાથી થતી મોતની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે.
શહેરમાં બેડ,રેમડેસિવિર તથા ઓક્સિજનની પણ અછત જાેવાઈ રહી છે. ત્યારે શહેરની ગંભીર સ્થિતિને જાેતા ઈસનપુર-ઘોડાસરના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન કરવાનો ર્નિણય લીધો છે. શનિવાર તથા રવિવારના રોજ વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી સ્વયંભૂ બંધને સફળ બનાવવા પ્રયાસ કરશે
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૮,૯૨૦ કેસ નોંધાયા છે તો ૯૪ લોકોની મોત છેલ્લા ૨૪ કલાકમાં નોંધાઈ છે. અને ૩,૩૮૭ દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં ૩૨,૯૭૮૧ દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. કોર્પોરેશન (આઈઓસીએલ) એ સામાન્ય લોકોને રાહત આપીને ન્ઁય્ પરના સરનામાંનું ફરજિયાતપણું દૂર કરી દીધુ છે. હવે એડ્રેસ પ્રૂફ આપ્યા વિના ગેસ સિલિન્ડર ખરીદી શકાય છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર બે વર્ષમાં ૧ કરોડથી વધુ મફત ન્ઁય્ કનેક્શન આપશે. સરકારનું લક્ષ્ય છે કે તમામ ગરીબ પરિવારોને મફત ન્ઁય્ કનેક્શન આપવું. રેસીડેન્સીના કોઈ પુરાવા વિના સરકાર ન્ઁય્ કનેક્શન્સ આપી રહી છે. આ સિવાય લોકોને તેમના પાડોશમાં ૩ ડીલરો પાસેથી રિફિલ સિલિન્ડર મેળવવાનો વિકલ્પ પણ મળશે.

Related Posts