હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં સાધુઓ-સંતો અને શ્રદ્ધાળુઓના કોરોના સંક્રમિત થયાના સમાચાર બાદ પ્રશાસન હરકતમાં આવી ચૂકયું છે. કેટલાંય અખાડાએ પહેલેથી જ કુંભમાંથી પાછી આવવાની જાહેરાત કરી દીધી છે. તેને લઇ પ્રધાનમંત્રી મોદીએ પણ એક મોટું નિવેદન આપ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આચાર્ય મહામંડલેશ્વર પૂજય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોને સ્વાસ્થય અંગે માહિતી મેળવી. તમામ સંગતણ પ્રશાસનને દરેક પ્રકારનો સહયોગ કરી રહ્યું છે. મેં તેના માટે સંત જગતનો આભાર વ્યકત કર્યો.
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે મેં પ્રાર્થના કરી છે કે બે શાહી સ્નાન થઇ ચૂકયા છે અને હવે કુંભને કોરોનાના સંકટના લીધે પ્રતીકાત્મક જ રાખવામાં આવે. તેનાથી આ સંકટથી લડાઇને એક તાકાત મળશે.
તો પ્રધાનમંત્રીના નિવેદન પર પોતાની ટિપ્પણી પર મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિએ કહ્યું કે માનનીય પ્રધાનમંત્રીજીના આહ્વાનનું અમે સમ્માન કરીએ છીએ! પોતે અને અન્યોના જીવનની રક્ષા મહત પુણ્ય છે. મારી ધર્મ પરાયણ પ્રજાને આગ્રહ છે કે કોવિડની પરિસ્થિતિઓને જાેતા ઈંર્ઝ્રંફૈંડ્ઢ ના નિયમોનું ર્નિવહન કરે.
Recent Comments