અમરેલી

કોલેજોનાં અઘ્‍યાપકોએ કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ શરૂ કર્યો

અમરેલી જિલ્‍લામાં આવેલી ગ્રાન્‍ટેડ કોલજોનાં અઘ્‍યાપકોએ આજે રાજય સરકારનાં ગ્રાન્‍ટેડ કોલેજોનાં ખાનગી યુનિવર્સિટી સાથે જોડાણ કરવાનાં નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો. આજનું શિક્ષણકાર્ય તમામ અઘ્‍યાપકોએ કાળીપટ્ટી ધારણ કરી કરાવ્‍યું હતું. તેમ સ્‍થાનિક અઘ્‍યાપક મંડળનાં પ્રમુખ જે.એમ.  તળાવીયા, ઉપપ્રમુખ ડો. એ.જે. ચંદ્રવડીયા, મંત્રી ડો. વી.આર. દવે અને ખજાનચી ડો. બી.આર. ચુડાસમાની સંયુકત યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

Related Posts