ભાવનગરના કોળીયાક ખાતે જાણીતા નિષ્કલંક મહાદેવ ખાતે યોજાઇ રહેલાં લોકમેળામાં આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે રહીને લોકોની સેવા કરી રહી છે. મેળામાં લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે ૬- ક્લોરીનેશનની ટીમ કાર્યરત છે. જે વિવિધ પાણીની ટાંકીઓ અને પાણીના સંગ્રહસ્થાનોને ક્લોરીનેશનથી શુદ્ધ કરી રહી છે. આ ઉપરાંત લોકોને આકસ્મિક સંજોગોમાં સારવાર આપી શકાય તે માટે ૩- મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે.
આ સિવાય લોકોને આરોગ્ય જાગૃતિ અંગે માહિતી આપવા માટે એક પ્રદર્શન વાન સાથેની ટીમ પણ ગોઠવવામાં આવી છે. આ સિવાય કોરોનાના રસીકરણ મમાટે પણ એક ટીમ કાર્યરત કરવામાં આવી છે. જે મેળામાં આવતાં લોકોને સતત પોતાની સેવા આપી રહી છે. આ ઉપરાંત નિષ્કલંક મહાદેવ પ્રાથમિક શાળા ખાતે ઈમરજન્સી ટીમ તેમજ નિષ્કલંક ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૪ કલાકની ઈમરજન્સી ટીમ કાર્યરત છે.
Recent Comments