સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અતંર્ગત તા.૧૫ જુલાઇ થી ૭૫ દિવસ સુધી ૧૮ થી ૫૯ ની વયજુથના નાગરિકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ‘કોવિડ વેક્સીન અમૃત મહોત્સવ’ અંતર્ગત અમરેલી જિલ્લામાં પ્રથમ દિવસે સાંજે ૪.૦૦ કલાક સુધી ૨,૮૩૪ નાગરિકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સમગ્ર દેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ અતંર્ગત’ તા.૧૫મી જુલાઇથી ૭૫ દિવસ સુધી ૧૮ થી ૫૯ની વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે ‘પ્રિકોશન ડોઝ’ આપવાનો જનહિતલક્ષી નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત રાજ્યનાં કુલ ૩.૩૦ કરોડ લાભાર્થીઓને ‘પ્રિકોશન ડોઝ’ આપવાનો નિર્ધાર કેન્દ્ર સરકારનો છે.
અમરેલી જિલ્લામાં તા.૧૫/૦૭/૨૦૨૨ના રોજ પ્રથમ દિને ૧૨૫ વેક્સનિશેન સ્થળો ઉપર રસીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.એમ. જોષીએ જણાવ્યું કે, આ બુસ્ટર ડોઝ કોવિડ વેક્સીનેશનો બીજો ડોઝ લીધાનાં ૦૬ મહિના બાદ લઈ શકાય છે. અમરેલી જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરની વય જૂથના વધુમાં વધુ નાગરિકોને આ ડોઝ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments