કોવીડ-૧૯ ની પરિસ્થિતિમાં સરકારની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળો જેમ કે શાકમાર્કેટ, જથ્થાબંધ વેપાર થઈ હરાજીના સ્થળો, ખાણીપીણીના સ્થાનો, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર કોવીડ-૧૯ સબંધિત સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે માટે વધારાના પોલીસ દળને તહેનાત કરવા હુકમ કરવામા આવ્યા છે. કોઈપણ પ્રકારની ઉજવણી કે લોકો એકત્ર થાય તેવા પ્રસંગો અંગે ઇન્સિડેન્ટ કમાન્ડન્ટ (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) શ્રીએ ખાસ કિસ્સા સિવાય મંજૂરી આપી શકશે નહીં તેમજ ખાસ સંજોગોમાં મંજૂરી અપાયેલ હોય તો કોવીડ-૧૯ની સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તથા નિયત સંખ્યામાં આવો પ્રસંગ પૂર્ણ થાય તેવી વ્યવસ્થા અંગે વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ સૂચનાઓ આગામી વિવિધ ચૂંટણીઓમાં પણ લાગુ પડશે. આગામી તહેવારોઈ ઉજવણી દરમિયાન જે તે જગ્યાની ક્ષમતાના ૫૦% અથવા ૨૦૦ વ્યક્તિઓ બે માંથી જે ઓછુ હોય તેટલી સંખ્યામાં લોકો હાજર રહી શકશે. તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત જાહેરમાં કોઈ સભા, પ્રાર્થના, રેલી કે શોભાયાત્રા યોજી શકશે નહિ. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
કોવીડ-૧૯ અંતર્ગત સરકારની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા તંત્રનો અનુરોધ

Recent Comments