ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૪-૨૦૨૫માં મગફળી માટે રુ.૬૮૭૩, મગ માટે રુ. ૮૬૮૨, અડદ માટે રુ.૭૪૦૦ અને સોયાબીન માટે રુ.૪૮૯૨ પ્રતિ કિવન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કર્યુ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૦૩.૧૦.૨૦૨૪ થી તા.૧૦.૧૧.૨૦૨૪ સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરાવવી. આ પાકની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી તા.૧૧.૧૧.૨૦૨૪થી શરુ થશે. વધુ વિગતો માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) અથવા તલાટી મંત્રીશ્રીનો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
ખરીફ સીઝન ૨૦૨૪-૨૦૨૫ – મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીઃ તા.૧૦ નવેમ્બર સુધીમાં ઓનલાઈન નોંધણી કરવી

Recent Comments