અમરેલી

ખાંભા તાલુકામાં ઓછું મતદાન થયું હોય તેવા બુથના વિસ્તારોમાં “અવસર રથ” ના માધ્યમથી મતદાન જાગૃત્તિ

જિલ્લાના ૧૧ તાલુકાઓ છે. જેમાં ખાંભા એ એવો તાલુકો છે જેના નાગરિકો  ૯૮- રાજુલા વિધાનસભા તથા ૯૪- ધારી વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ થયેલો છે. ખાંભા તાલુકામાં ઓછું મતદાન થયું હોય તેવા બુથના વિસ્તારોમાં “અવસર રથ” ના માધ્યમથી મતદાન જાગૃત્તિ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, વધુમાં વધુ મતદાન થાય તે મજબૂત લોકશાહી માટે આવશ્યક છે. મતદારોને તેમના મતદાનનું મૂલ્ય અવસર રથના માધ્યમથી જણાવી મતદાન માટે જાગૃત્ત કરવામાં આવ્યા હતા.

Related Posts