આગામી તા.૨૫ જાન્યુઆરી, ૨૦૨૨ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે મામલતદાર કચેરી ખાંભા ખાતે ખાંભા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તેમણે તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યા સુધીમાં ખાંભા તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા તો ટપાલમાં મળી જાય તે રીતે મામલતદાર કચેરી, ખાંભા ખાતે પહોંચતી કરવાની રહેશે. સામૂહિક કે નીતિવિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ ક૨વાના રહેશે. અરજીના મથાળે ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ મામલતદારશ્રી, ખાંભાએ એક યાદીમાં જણાવ્યું છે.
ખાંભા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૨૦ જાન્યુઆરી સુધીમાં અરજી કરવી


















Recent Comments