અમરેલી

ખાનગી સિક્યુરિટી એજન્સીઓએ પરપ્રાંતિય ચોકિયાતોનો વિગતો તૈયાર કરી વેરિફિકેશન કરવું ફરજિયાત ચોકીયાતોની જાણકારી પોલીસ સ્ટેશનને આપવા જાહેરનામુ બહાર પડાયું

જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ – ૧૪૪ હેઠળ જાહેરનામું બહાર પાડયું છે. અમરેલી જિલ્લાની તમામ ખાનગી સિક્યોરિટી સંસ્થાના સંચાલકોએ ૭ ખાનાના નિર્ધારિત પત્રકમાં પરપ્રાંતિય બિનહથિયારી અને હથિયારી ચોકિયાતોની સંપૂર્ણ વિગતો ફોટા સહિતની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં અને એસ.ઓ.જી. શાખા, રાજ મહેલ કેમ્પસ, એ-૧૦૪, બહુમાળી ભવન, અમરેલી ખાતે નિયત ફોર્મમાં આપીને જાણ કરવાની રહેશે. સમગ્ર અમરેલી જિલ્લામાં તા.૧૦ સપ્ટેમ્બર,૨૦૨૨ સુધી આ નિયમો અમલમાં રહેશે અને તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related Posts