સૌરાષ્ટ - કચ્છ

ખેડુતોની માંગ અમને સ્ક્રેપ પોલિસીમાંથી બાકાત રાખો

આજથી એક અઠવાડિયા પહેલા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી છે, જેમાં ૧૫ વર્ષથી વધુ જૂનાં વાહનોને સ્ક્રેપ માટે મોકલવામાં આવશે તેવું કહ્યું હતું. તેના વિરોધમાં વીરપુરમાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,લોન ઉપર ખરીદેલા ટ્રેક્ટરના હપ્તા ૫થી ૭ વર્ષ સુધી ચાલે છે. આમાં નવું ટ્રેક્ટર ક્યાંથી લેવું. ટ્રેકટર કાંઈ ચોવીસ કલાક ચાલતું વાહન નથી, અમને આ કાયદામાંથી બાકાત રાખો. આ અંગે વીરપુરના ખેડૂત સુરેશભાઈએ જણાવ્યું હતું કે,ખેડૂતોની છેલ્લા ત્રણ ચાર વર્ષથી કફોડી સ્થિતિ છે ત્યારે આ કાયદો વધું ખેડૂતોની કેડ ભાંગશે કારણ કે ખેડૂતો એની જીંદગીમાં એક વખત જ ટ્રેક્ટર ખરીદી લોન ઉપર કરી શકે છે. જમીન ફક્ત ૧૦-૧૫ વિઘામાં ખેતી કરતાં હોય છે ત્યારે ખેડૂતોને ટ્રેક્ટર આખા વર્ષ દરમિયાન ૨૦૦ કલાક જ ચાલતું હોય છે ત્યારે આ ખેડૂતો નવું ટ્રેક્ટર ખરીદી ન શકે માટે આ કાયદો ખેડૂતોને માટે ન હોવો જાેઇએ. અન્ય ખેડૂત કિરીટભાઈએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે,હાલ સરકારમાં બેઠેલા નેતાઓનાં મગજ ફરી ગયાં છે અને ગતકડાં જેવા કાયદાઓ લ?ઈ ને આવે છે ત્યારે તેઓ ને જ બદલવાની ખાસ જરૂરી છે આ કાયદા થી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ગુજરાતના અનેક ખેડૂતોએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી વિરોધ નોંધાવ્યો છે. ટ્રેકટર ચોવીસ કલાક ચાલતું વાહન નથી માટે અમને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવે તેવી અમારી માંગ છે.

Related Posts