ગુજરાત સરકારે ધોરણ ૯ થી ૧૨ નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ છે. પરંત હજુ સુધી ધોરણ ૬ થી ૮ ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે હજી સુધી કોઈ ર્નિણય લેવાયો નથી. ત્યારે સુરતની ગજેરાના સ્કૂલના સંચાલકો સરકારના નિયમોને ઘોળીને પી ગયા છે. સરકારની પરમિશન વગર જ ગજેરા સ્કૂલમાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરીને તેમને શાળાએ બોલાવવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસના આરોપ પર મુખ્યમંત્રી રૂપાણીએ પલટવાર કર્યો છે.
બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગજેરા સ્કૂલના સંચાલકોની મનમાની મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ઝ્રસ્ રૂપાણીએે જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ ના કરી શકે. ગજેરા સ્કૂલ કેસમાં પણ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસો ધીમે-ધીમે ઘટી રહ્યાં છે, ત્યારે જાે પોઝિટિવ કેસો વધશે તો ફરીથી નિયંત્રણો લગાવવામાં આવી શકે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ગજેરા સ્કૂલના સંચાલકોની મનમાની મુદ્દે રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. અમિત ચાવડાએ સરકારની નીતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, સરકારની બેવડી નીતિઓના કારણે કોરોના ફેલાઈ રહ્યો છે. ભાજપના મળતિયાઓ માટે અલગ કાયદા હોય તેવું લાગી રહ્યું છે. સરકારની નીતિ અને નિયતમાં જ ખોટ છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલે સરકારની પરમિશન વિના વિદ્યાર્થીઓના ઓફલાઈન વર્ગો શરૂ કર્યા હોવાનું સામે આવ્યું હતું. આટલું જ નહીં, ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને વર્ગમાં બેસાડવામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું નહતું.
Recent Comments