ભાવનગર

ગઢડામાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૧ ડિસેમ્બર ના રોજ યોજાશે 

રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૧ ડિસેમ્બર ૨૦૨૨, બુધવારનાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ગઢડા ખાતે મુખ્યમંત્રીશ્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ શ્રી જિલ્લા વિકાસ અધિકારી, બોટાદના અધ્યક્ષસ્થાને ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવ્યો છે. આથી બાકી પ્રશ્નો માટે અરજદાર પાસેથી આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે.

પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદારશ્રી, ગઢડાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં અરજી રજુ કરતાં પહેલા ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ કરેલ અરજી અનિર્ણીત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રુબરુ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકાશે, સામુહિક રજુઆત કરી શકાશે નહિ તેમ મામલતદાર કચેરી, ગઢડાની યાદીમાં જણાવાયું છે. 

Related Posts