ભાવનગર

ગઢડા ખાતે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭ જુલાઇના રોજ યોજાશે

રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૭/૦૭/૨૦૨૨ ને બુધવારનાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી,ગઢડા ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ શ્રી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બોટાદના અધ્યક્ષસ્થાને ગ્રામ્ય અને તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે.

આથી બાકી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૦/૦૭/૨૦૨૨ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવાં માટે જે- તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદારશ્રી, ગઢડાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે.

આ કાર્યક્રમમાં અરજી રજુ કરતાં પહેલા ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણીત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરી શકાશે. સામૂહિક રજુઆત કરી શકાશે નહીં.

ગ્રામ્ય કે તાલુકાનાં પ્રશ્ન હોય તે તા.૧૦/૦૭/૨૦૨૨ સુધીમાં મામલતદારશ્રી,ગઢડાને કે રજૂ કરવાં મામલતદારશ્રી, ગઢડાની યાદીમાં જણાવાયું છે.

Related Posts