જાણવા મળેલ હકીકત મુજબ ગઢડાનો પરમાર પરીવાર ૨૩ મુસાફરો સાથે મીની બસ નં.જી.જે. ૦૪ ૦૫૪ લઈને અમરેલી સગાઈ કરવાં માટે ગયેલ હતો સગાઈનુ કામ પૂર્ણ કરી પરત ગઢડા જઈ રહ્યા હતા ત્યારે લાઠીથી અધોૅ કી.મી.દુર જતા આગળનુ ટાયર ફાટતાં મીની બસે પલ્ટી ખાધી હતી. આ અકસ્માતના સમાચાર લાઠી પોલીસ સ્ટેશનમાં થતાં પી.એસ.આઈ.વાય.પી.ગોહીલ.પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ઘવાયેલાને ૧૦૮મારફત લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમા કુલ ૨૩ મુસાફરોમાથી ૧૦ વ્યક્તિને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા અને બાકીના મુસાફરોને સામાન્ય ઈજા થતાં પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી.અકમાત અંગેની વધુ તપાસ ટાઉન જમાદાર વનરાભાઈ ચલાવી રહ્યા છે.
ગઢડા થી અમરેલી સગાઈ કરવા ગયેલા પરીવારના વાહનને નડયો અકસ્માત.આગળનુ ટાયર ફાટતાં મીની બસે મારી પલટી.

Recent Comments