ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી રઘુભાઈ આહીર દ્વારા ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનાજ કરિયાણાનું વિતરણ કરેલ છે. સણોસરા પાસેના ગઢુલા ગામે ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને લગભગ ૧૮ વર્ષથી ઉમદા સહાયક બનતા રહેલા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના મંત્રી શ્રી રઘુભાઈ આહિર દ્વારા અનાજ કરિયાણા સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણા, તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સાથે સંગઠન હોદ્દેદારો શ્રી સી.પી.સરવૈયા, શ્રી રાજુભાઈ ફાળકી, શ્રી નારુભાઈ ખમળ, શ્રી પેથાભાઈ ડાંગર અને સ્થાનિક કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ વિતરણ કરેલ છે. ભાજપ અગ્રણી અને દાતા શ્રી રઘુભાઈ આહિર વિવિધ સેવા સંસ્થા અને સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા સહાયક બનતા રહ્યા છે, જેઓની આ સખાવતને અહી ઉપસ્થિત આગેવાનોએ બિરદાવી હતી.
ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનાજ કરિયાણાનું વિતરણ

Recent Comments