ભાવનગર

ગણેશ શાળામાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય લોક ડાયરો યોજાશે

તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં ગણેશ ચતુર્થી નિમિત્તે શાળાના આંગણે ગણેશ સ્થાપના, મહાઆરતી તેમજ સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર રમણીકભાઈ ધાંધલ્યા સહિતના કલાકારો શિક્ષણની સાથે લોકસાહિત્ય પીરસશે. આમ ગણેશ ચતુર્થી નિમિત્તે તા.5 ના રોજ ગજાનંદ ગણપતિ મહારાજના ગુણગાન ગાવા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

Related Posts