ભાવનગર

ગદૌલી ધામ કાશી શ્રી રમેશભાઈ ઓઝા ‘ભાઈશ્રી’ના વ્યાસાસને શ્રી રામ કથા

ગદૌલી ધામ કાશીમાં શ્રી રમેશભાઈ ઓઝા ‘ભાઈશ્રી’ના વ્યાસાસનેશ્રી રામ કથા ‘શિવ ચરિત’ લાભધાર્મિક, સામાજિક તથા રાજકીય મહાનુભાવોની રહી પ્રેરક ઉપસ્થિતિ – ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને વારાણસીમાં કાર્યરત શ્રી સુનીલ ઓઝાના સંકલન સાથે યોજાઈ ગયેલ સનાતન આયોજનઈશ્વરિયા રવિવાર તા.૨૬-૧૧-૨૦૨૩(મૂકેશ પંડિત)ગદૌલી ધામ કાશીમાં ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને વારાણસીમાં કાર્યરત શ્રી સુનીલ ઓઝાના સંકલન સાથે થયેલા ભવ્ય સનાતન આયોજન મુજબ શ્રી રમેશભાઈ ઓઝા ‘ભાઈશ્રી’ના વ્યાસાસને શ્રી રામ કથા ‘શિવ ચરિત’ રસપાન લાભ મળ્યો છે. 

ગંગા કિનારે ભારતવર્ષના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન કાશી વારાણસીનાં નવ નિર્મિત સંસ્કૃતિ સ્થાન ગદૌલી ધામ ખાતે ગત શનિવાર તા.૧૮થી રવિવાર તા.૨૬ દરમિયાન શ્રી રામ કથા ‘શિવ ચરિત’ રસપાનનો લાભ ભાગવદાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા ‘ભાઈ શ્રી’ના વ્યાસાસને મળ્યો છે. અહી ધાર્મિક, સામાજિક તથા રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી અને કથા શ્રવણ સાથે આરતી પૂજામાં પણ લાભ પણ લીધો.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનાં આયોજનમાં શુભભાવનાનાં સંકલ્પ હેતુથી આ રામકથા ગાનમાં ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાંથી સંતો, વિદ્વાનો, રાજદ્વારી મહાનુભાવો જોડાયા. ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને વારાણસીમાં કાર્યરત શ્રી સુનીલ ઓઝાના સંકલન સાથે ( ઓ. એસ. બાલકુંદન ફાઉન્ડેશન – કાશી અંતર્ગત ) સ્થાનિક ક્ષેત્ર સાથે જગત કલ્યાણની કામના સાથે થયેલા ભવ્ય સનાતન રામ કથા આયોજનનો લાભ સાયે માણ્યો 

Related Posts