અમરેલી

ગરીબ પરિવારો ને ૨૦ વર્ષ કરતા વધુ સમય થી એક ઇંચ જમીન પણ રહેણાંક હેતુ માટે નથી

દામનગર શહેર માં ૨૦ વર્ષ કરતા વધુ સમય થી ગરીબ પરિવારો ને રહેણાંક માટે એક ઇંચ પણ જમીન રહેણાંક હેતુ માટે નથી મળી અસંખ્ય ગરીબ પરિવારો ભારે સંકડામણ ભોગવી રહ્યા છે તત્કાલીન તાલુકા પંચાયત પ્રમુખ હરજીભાઈ નારોલા ના સમય માં સર્વે નંબર ૩૭૨ માં ઠાંસા ઉપર ૨૫૦ જેટલા પરિવારો ને ધરથાળ પ્લોટ વિતરણ કરાયા ને ૨૦ વર્ષ કરતા વધુ સમય થયો છતાં શહેરી ગરીબ ની વ્યાખ્યા માં આવતા ગરીબો ને રહેણાંક હેતુ માટે એક ઇંચ પણ જમીન ફાળવવા માં નથી આવી દામનગર ગ્રામ પંચાયત માંથી રૂપાંતર થઈ નગર પાલિકા નો દરજ્જો પ્રાપ્ત કરી શહેર બની ગયું પણ ગરીબ પરિવારો ના અધિકારો કેમ સમાપ્ત થઈ ગયા કે શું ? દામનગર શહેર ના અસંખ્ય ગરીબ લાચાર પરિવારો માટે સ્થાનિક પાલિકા તંત્ર એ લેન્ડ કમિટી નું ગઠન રચના કરી શહેરી ગરીબો ને ધરથાળ પ્લોટ આપવા જોઈ એ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા પંચાયત ની લેન્ડ કમિટી ૧૦૦ વાર ના રહેણાંક પ્લોટ આપી શકતી હોય તો પાલિકા તંત્ર એ ૨૫ વારીયા પ્લોટ નું ખરબા પડતર ખારા માં શહેરી સંકુલ ને લાગી ને આવેલ જમીન બિન ખેતી દરખાસ્ત કરી  મંજૂરી ઓ મેળવી ગરીબ પરિવાર ને રહેણાંક હેતુ માટે મફત પ્લોટ ફાળવવા જોઈ એ છેલ્લા ૨૦ વર્ષ કરતા થી સમય થી લાચાર ગરીબ પરિવારો કાગ ડાળે રાહ જોઈ રહ્યા છે ગરીબ પરિવારો ખાનગી જમીન ક્યાં થી ખરીદી શકે ? પાલિકા તંત્ર એ ગરીબ પ્રત્યે હમદર્દી બતાવી આઠ નાળા પાસે કે ઠાંસા રોડ ઉપર પડતર સરકારી ખરાબા ખારા ની જમીન શહેરી સંકુલ થી નજીક હોય તેવી જમીન બિન ખેતી કરાવી જરૂરી મંજૂરી ઓ અભિપ્રાયો મેળવી પાલિકા ની લેન્ડ કમિટી ની રચના કરી શહેરી ગરીબો ને મફત પ્લોટ આપવા જોઈ એ વર્ષો થી ભારે સંકડામણ નો સામનો કરતા અસંખ્ય લાચાર પરિવારો ને પાલિકા તંત્ર ઉપર ઉજળી આશા છેલ્લા ઘણા વર્ષો થી માત્ર ૧૫૯ નામ ની BPL યાદી હોય તેનો સર્વે કરવા ગ્રામ વિકાસ એજન્સી અને પાલિકા તંત્ર વચ્ચે જવાબદારી ને ફેંકાફેંકી કરાય રહી મોટા ભાગ ની યોજના માં BPL માપદંડ ફરજિયાત હોય ગરીબ પરિવારો આમાં લાભ કેવી રીતે મેળવે ? ગરીબ પરિવારો ને મદદ કરવા ની દાનત ક્યાં ? ઝૂંપડપટ્ટી માં મફત વીજ કનેકશન કુટિર જ્યોત યોજના છે પણ ગરીબો ના નામ નો સર્વે જ ક્યાં કરાય છે 

Related Posts