ગાંધીનગર ય્ેંડ્ઢછ તથા અન્ય સરકારી એજન્સીઓની આવાસ યોજનામાં અપાતા મકાન બજાર કિંમત કરતાં ઓછા ભાવે મળતાં હોવાથી સામાન્ય નાગરિકોને વધારે પસંદ આવે છે. ય્ેંડ્ઢછમાં મકાન મેળવવા માટે હજારો લોકો ફોર્મ ભરતા હોય છે અને તેમાંથી ખૂબ ઓછા અરજદારોનો નંબર લાગે છે. આ સ્થિતિનો ફાયદો ઊઠાવીને સામાન્ય નાગરિકો સાથે ઠગાઈનો કિસ્સો બહાર આવ્યો છે. ગાંધીનગરનાં ય્ેંડ્ઢછ તંત્રની ગાઢ નિદ્રામાં ય્ેંડ્ઢછના કેન્સલ થયેલા મકાન અપાવી દેવાના નામે છ અરજદારો સાથે રૂ.૭.૭૦ લાખ રૂપિયાની છેતરપિંડીના મામલે સે-૨૧ પોલીસ મથકમાં ફરિયાદન નોંધાઈ છે.
મારવાડીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બે એક વર્ષ પહેલા સમાજના સોમાજી પ્રતાપજી મેઘવાલને વિરમભાઈ ગઢવી સાથે પરિચય થયો હતો. બાદમાં વિરમભાઈને મકાનનો સામાન ફેરવવાનો હોવાથી પાસરભાઈનો સંપર્ક કર્યો હતો. આ સમયે વિરમભાઈએ જણાવ્યુ હતું કે, સરકારી ગુડાના મકાન લેવા હોય ય્ેંડ્ઢછ ઓફિસમાં સારી ઓળખાણ છે. પ્રથમ તમારે રૂ.૫૫૦૦નો ડીડી ભરવો પડશે. તેથી સોમાજી તથા તેમના દીકરા અશોક મેઘવાલે ૧૮-૧૨-૨૦૨૨ના રોજ ડીડીના રોકડા રૂ.૧૧,૦૦૦ રોકડા આપ્યા હતા.
ત્યારબાદ વિરમભાઈએ સોમાજીને કહ્યું હતું કે, બીજા પાંચથી છ ય્ેંડ્ઢછના મકાન કોઈને જાેઈતા હોય તો હું કરાવી આપીશ. બાદમાં સોમાજી મેઘવાલે સમાજના બગદાજી દરગાજી મેઘવાલ તથા પંકજકુમાર ટાપરાજી મારવાડી, કાંતીલાલ બુમ્બાજી હીંગોલા તથા પદમાજી ગલબાજી મેઘવાલ (તમામ રહે. ધોળાકુવા) સાથે વાત કરી હતી. પાસરભાઈ સહિત આ તમામ લોકો ય્ેંડ્ઢછના મકાન લેવા માટે તૈયાર થયા હતા અને સે-૨૨ નવરાત્રિ ચોક નજીક વિરમભાઈ ગઢવીને મળ્યા હતા. વિરમભાઈએ જણાવ્યું હતું કે, એક મકાનના કુલ રૂ.૫.૫૦ લાખ થશે. પ્રથમ રૂ.૫૫૦૦ ડીડીના ભરવા પડશે.
કુલ ત્રણ તબક્કામાં રૂ.૧,૧૭,૫૦૦ ભરવાના થશે. એક હપ્તો ભરાઈ ગયા પછી મકાનની ચાવી મળી જવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આમ વિરમભાઈની વાત પર વિશ્વાસ કરીને ફરિયાદીએ ૧૦-૪-૨૦૨૩ સુધીમાં તેમના ફોન પે પર અને રોકડમાં રૂ.૧,૧૮,૪૦૦ ચૂકવ્યા હતા. કાંતીલાલ હિંગોલાએ વિરમભાઈ ફોન અને રોકડા મળી રૂ.૧,૭૯,૭૫૦ આપ્યા હતા. પંકજભાઈ મારવાડીએ રોકડા અને ગૂગલ પે થકી રૂ.૬૬,૦૦૦ વિરમભાઈને આપ્યા હતા. બગદાજી મારવાડીએ રૂ.૬૦,૫૦૦ ફોન પેથી વિરમભાઈ ગઢવીને આપ્યા હતા. સોમાજી મારવાડીએ રૂ.૧,૩૬,૫૦૦ અને અશોકભાઈ મારવાડીએ રૂ.૧,૪૯,૦૦૦ આપ્યા હતા.
વિરમભાઈને નાણાં ચૂકવ્યા બાદ આ તમામ લોકોએ મકાન બાબતે અવાર-નવાર પૂછપરછ કરી હતી. ય્ેંડ્ઢછના મકાન નહીં મળતાં છ વ્યક્તિઓએ નાણાં પરત માગ્યા હતા, પરંતુ તેમણે મકાન અપાવ્યા ન હતા. તેમ જ વિરમભાઈએ અલગ-અલગ તારીખના ચેક ભરીને આપ્યા હતા, પરંતુ જે બેંકના ચેક હતા ત્યાં તેમણે ખાતા બંધ કરાવી દીધા હતા. આ મામલે તપાસ માટે ફરિયાદી સહિત તમામ વ્યક્તિએ પોલીસ મથકમાં અરજી આપી હતી. આ અરજીની તપાસ બાદ રોકડા અને ઓનલાઈન બેંકિંગ થકી રૂ.૭.૭૦,૬૫૦ની છેતરપિંડી મામલે ગુનો દાખલ કરી સે-૨૧ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments