આમ આદમી પાર્ટી દ્વારા કોલવડા ગામ ખાતે જનસભા તેમજ વિજય સુવાળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં જનમેદની ઉમટી પડી હતી. એ વખતે જ અચાનક સભામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો અને થોડી વારમાં ખુરશીઓ ઉછળતા હાજર જનમેદનીમાં નાસભાગ સાથે ભયનો માહોલ છવાઈ ગયો હતો.પ્રજા અમને કહી રહી છે કે, પ્રચારમાં આવતા માણસોની બોલી પરથી તેઓ બહારના હોય તેવું જણાઈ આવે છે. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી પાસે એટલા કાર્યકરો પણ નથી. જેથી બહારથી ભાડૂતી માણસો લાવીને પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. સમગ્ર મુદ્દે આપ દ્વારા ભાજપ પર સીધો આક્ષેપ કરાયો છે જાેકે ચાર-પાંચ દિવસ પહેલાં આપના નેતાઓ અને કેટલાક ગ્રામજનો વચ્ચે થયેલી માથાકૂટ પર હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. રામાપીરના નેજાના ભજનો સમયે ગામમાં એક જગ્યાએ લાઉડ સ્પીકર વાગતા હતા. આ સમયે ગામમાં આપના નેતાઓની બેઠક ચાલી રહી હતી. જેને પગલે તેઓએ જઈને લાઉડસ્પીકર બંધ કરાવી દીધા હતા. જે મુદ્દે કેટલાક ગ્રામજનો અને આપના નેતાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી.
જાેકે તે સમયે મામલો થાળે પડી ગયો હતો, શનિવારે સભામાં પથ્થરમારો થતાં આ માથાકૂટ પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. આપમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ભાજપના એક મહિલા ઉમેદવારના માથાભારે પતિનો પણ આ ઘટનામાં હાથ હોઈ શકે. ભાજપના આ મહિલા ઉમેદવારના પતિનું નામ જુગારધામના સંચાલક તરીકે પોલીસ ચોપડે નોંધાયેલું છે છતાં ભાજપ દ્વારા વિસ્તારમાં રહેલી ધાકને જાેતા ટિકિટ અપાયાની ચર્ચા છે. ભાજપના બે મહિલા ઉમેદવારો એવા છે જેમના પતિઓના નામ પોલીસ ચોપડે જુગારધામના સંચાલક તરીકે નોંધાયેલા છે.ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે કોલવડા ગામ ખાતે આમ આદમી પાર્ટીની યોજાયેલી જન સભા દરમિયાન અચાનક પથ્થરમારો થયા બાદ ખુરશીઓ ઉછળતાં સભામાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ઘટના માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર હોવાનો આક્ષેપ કરી પ્રદેશ નેતાઓને પોલીસ પ્રોટેક્શન આપવાની માંગણી કરવામાં આવી હતી. ગાંધીનગરની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારતા જ ભાજપ કોંગ્રેસનાં ઊકળતું તેલ રેડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. કેમકે અત્યાર સુધી બે મોટી પાર્ટી વચ્ચે જ સીધી ટક્કર રહેતી હોવાથી મતદારોની પસંદ ના પસંદનો અગાઉથી ખ્યાલ આવી જતો હતો અને એ મુજબ રાજકારણ કરવામાં આવતું હતું.
Recent Comments