મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, બહારથી આવનારા લોકોની લાઈફ સ્ટાઈલને અનુકુળ થવાનો પ્રયાસ
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે દારૂની છુટનો ર્નિણય માત્ર ગિફ્ટસિટી પૂરતો છે એવુ નિવેદન રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યુ છે. તેમણે પરવાનગી અંગે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે, સરકાર રાજ્યની પ્રગતિ અને ભલાઈ અંગે જ વિચારે છે. ઋષિકેશ પટેલે જણાવ્યુ કે ગિફ્ટસિટીની સ્થાપના દીઘર્દ્રષ્ટી સાથે કરાઈ છે. અહીં ૈં્, બેન્કિંગ સહિત વિદેશની કંપનીઓ આવે તેવો લક્ષ્ય છે, ત્યારે બહારથી આવનારા લોકોની લાઈફ સ્ટાઈલને અનુકુળ થવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બહારથી આવતા ટેલેન્ટને સાચવી રાખવું ખૂબ જરૂરી છે. એટલે જ તેમને અનુકુળ વાતાવરણ ઉભું કરવાનો આ પ્રયાસ છે. ગિફ્ટસિટીમાં આ ર્નિણયને કારણે વેપારની તકો વધશે. એક નાના કારણને કારણે અડચણ આવતી હતી, તેની દૂર કરવાનો પ્રયાસ કરાયો છે.
Recent Comments