ગુજરાત

ગાંધીનગરની બે શાળાના વિદ્યાર્થીઓએ ફાળો સ્વીકાર્યો

શિક્ષક દિને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીએ-શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, સેક્ટર-૮ અને સ્કૂલ ઑફ એચીવર, કુડાસણના વિદ્યાર્થીઓએ રાજભવન આવીને રાજ્યપાલશ્રી પાસેથી ફંડનો સ્વીકાર કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, શિક્ષણ જ મનુષ્યનો વિકાસ કરે છે. મનુષ્યના જીવનમાં શિક્ષણ સૌથી વધુ મહત્વનું છે. તેમણે બાળકોને મન દઈને ભણવા અને શિક્ષણની સાથોસાથ સંસ્કાર તથા સ્વાસ્થ્યને પણ મહત્વ આપવાની શીખ આપી હતી.આ અવસરે ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે. પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડૉ. બી. એન. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉ. પિયુષ પટેલ, નોડલ ઓફિસર શ્રી મુકેશસિંહ ચાવડા અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષિકા શ્રીમતી સ્મિતા એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts