અમદાવાદના ચાંદખેડાનાં શખ્સે મિત્ર પાસેથી સામાજિક કારણોસર લીધેલા રૂપિયાની અવેજીમાં આપેલો રૂ. ૫.૧૦ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં ગાંધીનગર નાં છઠ્ઠા એડીશનલ જયુડીશયલ મેજીસ્ટ્રેટની કોર્ટે તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા મૃગેશકુમાર રમણલાલ વેણીકરને ઉમેષભાઈ ગોવિંદભાઈ પરમાર રહેઃ (રહે. અષ્ટક એલીગન્સ, ચાંદખેડા) સાથે પાડોશી હોવાના નાતે મિત્રતા થઈ હતી. જેનાં કારણે બંનેને એકબીજાને અવારનવાર મળવાનું થતું હતું.
આ દરમ્યાન ઉમેશભાઈને વારંવાર સામાજિક કારણસર રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં તબક્કાવાર કુલ રૂ. ૫.૬૦ લાખ મૃગેશકુમારે આપ્યા હતા. એ વખતે ઉમેશભાઈએ એક વર્ષમાં માંગશો ત્યારે રૂપિયા પરત કરી દેવાનો વાયદો કર્યો હતો. પરંતુ માત્ર ૫૦ હજાર રૂપિયા જ પરત કર્યા હતા. જ્યારે બાકી રહેતી રકમ પેટે રૂ. ૫.૧૦ લાખનો ચેક ઈન્ડિયન ઓવરસીસ બેંકનો આપ્યો હતો. જે ચેક મૃગેશકુમારે તા. ૧૧/૧૧/૨૦૨૧ નાં રોજ યુનિયન બેંક ચાંદખેડાની શાખામાં જમા કરાવ્યો હતો. જે ચેક તે ચેક તા.૧૭/૧૧/૨૦૨૧ ના રોજ ફન્ડ ઈન અનસફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો.
આ અંગે વાત કરતાં ઉમેશભાઈએ ઉડાઉ જવાબ આપીને રૂપિયા આપવાનો ઈન્કાર કરી થાય તે કરી લેવાની ધમકીઓ આપી હતી. જેથી વકીલ મારફતે તેમને નોટિસ આપવામાં આવી હતી. જેનો પણ ઉમેશ ભાઈએ ખોટો અને ઉપજાવી કાઢેલ જવાબ આપ્યો હતો. આખરે પોતાના પૈસા પરત મેળવવા માટે મૃગેશકુમારે ગાંધીનગર કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ કલમ-૧૩૮ અન્વયે ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસ છઠ્ઠા એડીશનલ જયુડીશયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ઉક્ત ગુનામાં ઉમેશભાઈને તકસીરવાન ઠરાવી કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
Recent Comments