નવ નિયુકત રાષ્ટ્રીય મંત્રી મા.મોહિની મોહન મિશ્ર તથા રાષ્ટ્રીય મંત્રી બી.કે.પટેલ,સદસ્યો શ્રી.મા.અંબુભાઈ પટેલ,વિઠલભાઈ દૂધાત્રા તથા રાષ્ટ્રીય મહિલા સંયોજીકા કું કલ્પનાબેન પટેલ સહિત’નું ગુજરાત પ્રદેશ દ્વારા કરાયું સન્માન.કાર્ય વિસ્તારની આગામી ૩ વર્ષ માટેની નકકર યોજના બનાવી તમામ સ્તરના કાર્યકર્તાઓને કામે લાગી જવા અને બધાજ કાર્યકર્તા માટે કામ અને બધા કામ માટે કાર્યકર્તા ની યોજના બનાવવા માટે મા.મોહિની મોહન મિશ્રજીનું આહવાન.તમામ પ્રદેશ તથા જીલ્લાઓના ૭૦૦ કાર્યકર્તાઓ એ આપી હાજરી.તમામ વિભાગની બેઠકો કરી પ્રશ્નો એકત્રિત કરાયા.વિજળી—સિંચાઈ—રી સર્વે(મહેસુલ)—જંગલ ખાતા સહિતના અનેક પડતર પ્રશ્નો અંગે સરકારમાં થશે પ્રતિનિધીઓ દ્વારા રજુઆત. ખેતીવાડીની વિજળીમાં સતત લોડ શેડીંગ અને ટ્રીપીંગથી કિસાનોમાં આક્રોશ અને કિસાન સૂર્યોદય યોજનાનો તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરાવવા કાર્યકર્તાઓની વેદના સભર રજુઆત.તા.૨૫ થી ૨૭ ફેબ્રુઆરી દરમ્યાન ભોપાલ ખાતે યોજાઈ ગયેલ ૧૩ માં રાષ્ટ્રીય અધિવેશન નોઅહેવાલ રાષ્ટ્રીય મંત્રી બી.કે.પટેલ દ્વારા અપાયો.બેઠકમાં પ્રદેશના નવિન પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય તથા મહામંત્રી આર.કે.પટેલ તથા ત્રણ પ્રદેશ ઉપાધ્યક્ષો શ્રી શામજીભાઈ મ્યાત્રા,શામળભાઈ ચૈાધરી,અને રતનસિંહ રાઠોડનું પણ કરાયું સન્માન.બેઠકના પ્રારંભે પ્રદેશ મહિલા સંયોજીકા શ્રીમતિ રાધાબેન ભૂડીયા ઘ્વારા રજુ થયું સુંદર સંગઠનગીત”ગ્રામ સમિતી નિયમીત બેઠક”પ્રદેશ અધ્યક્ષશ્રી જગમાલભાઈ આર્ય એ કાર્યકર્તાઓને સંબોધનમાં જણાવ્યું કે “તમામ પ્રશ્નોની ચાવી સક્રિય ગ્રામ સમિતીમાં છે.—ગ્રામ સમિતી મજબુત કરો-કાર્યકર્તા ચિંતન કરે સપ્તાહમાં બે દિવસ આપો—ગાય માતા–જૈવિક ખેતી જ માનવ જીવનને અને ખેતીને બચાવશે.કેન્સરમાં ગુજરાતનો પ્રથમ નંબર ચિંતાનો પ્રશ્ન.આગામી ‘૧૯ માર્ચ કિસાન બલિદાન દિવસ”વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ રીતે રચનાત્મક કાર્યક્રમોના માધ્યમથી મનાવવાની યોજના બનાવાઈ.તમામ આયામ પ્રમુખો અને દાયિત્વવાન કાર્યકર્તાઓ દિર્ઘકાલ પછીની બેઠકમાં કોરોના મુકત પરિસ્થિતીમાં સાચા હદયથી કામે લાગવાના સંકલ્પ સાથે થયા પરત.. ‘કિસાન સંદેશ’સાપ્તાહિક પ્રત્યેક ગામ–કાર્યકર્તા સુધી વિસ્તારવા હાકલ કરતા મા.મોહિનીજી કાર્યક્રમનું સંચાલન મંત્રીશ્રી કુરાભાઈ ચૈાધરી અને ધીરુભાઈ ધાખડાએ તેમજ આભાર વિધી કરી હતી
ગાંધીનગર બલરામ ભવન ખાતે ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશ દ્વારા સમારોહ સાથે વિશેષ બેઠક યોજાઈ

Recent Comments