પ્રખર ગાંધીવાદી અને સ્વ. લલ્લુબાપાશેઠના અનુયાયી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના પૂર્વ મંત્રી, સાવરકુંડલા ખાદી ગ્રામ સેવા મંડળના પ્રમુખ તથા સાવરકુંડલા તાલુકાની સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને અનેક સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા મુકસેવક મનુભાઈ મહેતાના નિધનથી સાવરકુંડલા તાલુકાની જનતાને ઊંડીખોટ પડી છે. અને તેમના સામાજીક અને શૈક્ષણિક કાર્યો લોકોના હ્રદયમાં વર્ષો સુધી યાદ રહશે. તેવું જણાવી તેમના નિધનથી દુ:ખની લાગણી વ્યકત કરતાં પૂર્વ કૃષિ મંત્રી શ્રી વી. વી. વઘાસીયા તથા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશ કાનાણી એ ઊંડો ખેદ વ્યક્ત કર્યો અને ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સહ શ્રદ્ધાંજલી અર્પણ કરી શોકની લાગણી પ્રકટ કરી છે
ગાંધીવાદી કાર્યકર મનુભાઈ મહેતાના નિધનથી શોકની લાગણી પ્રકટ કરતાં વી. વી. વઘાસીયા તથા કમલેશ કાનાણી

Recent Comments