ભાવનગર ગાંધી મહેન્દ્ર ચત્રભુજ એજ્યુકેશનલ ટ્રસ્ટ મુંબઈ ના સહકારથી ભાવનગર જિલ્લાની ગાંધી વિચાર શરણી ની તાલીમની કન્યાશાળા મણાર , આંબલા. માઈધાર , વાળૂકડ , લોકભારતી , વળાવડ પ્રકારે 6 સંસ્થાઓની 120 બહેનોને પ્રત્યેકને રૂપિયા 2500 લેખે શૈક્ષણિક સહાય નું વિતરણ કરવામાં આવ્યું ..વળાવડ કન્યાશાળામાં તા. 22 સપ્ટેમ્બરે યોજાયેલ બીજા તબક્કાનાં સમારોહમાં ભાવનગર જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ વિભાગના અધ્યક્ષ શ્રી મેહુરભાઈ લવતુકાના સાનિધ્યમાં યોજાયેલ સમારોહમાં વળાવડ કન્યાશાળાની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી અમિનભાઈ ચૌહાણ તેમજ શિશુવિહાર સંસ્થાના કાર્યકર શ્રી હીનાબેન ભટ્ટ, મીનાબેન મકવાણા તથા રાજુભાઈએ દ્વારા થયું . બેહેનો શિક્ષિત બને અને સ્વનિર્ભર બને તે દિશાના પ્રયત્નમાં શ્રી હીરાબેન માનભાઈ ભટ્ટ મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ સતત 22 માં વર્ષે યોજાયેલ.જે સરાહનીય બની રહે છે.
ગાંધી મહેન્દ્ર ચત્રભુજ એજ્યુકેશનલ ટ્રસ્ટ મુંબઈ ના સહકારથી ભાવનગર જિલ્લાની ગાંધી વિચાર શરણી ની તાલીમ

Recent Comments