ભાવનગર

ગારીયાધાર પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

-75 વર્ષ પૂરા કરનાર નું સન્માન થયું-ગારીયાધારગારીયાધાર તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા તારીખ 13 11 2021 ના રોજ રોય સમાજની વાડીમાં ગારીયાધાર ખાતે સવારે યોજાઈ.પેન્શનર મંડળના પ્રમુખશ્રી ભગવાનજીભાઈ ગોટીના પ્રમુખ પદે યોજાયેલી આ સભામાં ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા અને મંજૂર કરવામાં આવ્યાં. મંત્રીશ્રી બાબુભાઇ મકવાણાએ વર્ષ દરમિયાન થયેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. પેન્શનર મંડળના 75 વર્ષ પૂરા કરનાર મહાનુભાવો નો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત એસઆરપીના રીટાયર્ડ પી.એસ.આઇ અને ખારડીના વતની શ્રી જીલુભા ગોહિલે બપોરના ભોજનના દાતા તરીકે સેવા આપી હતી. તેઓએ આ સેવા કરવા માટે પોતાની જાતને ધન્ય ગણી હતી. જીવનમાં સત્કાર્યો થકી કોઈકના જીવનમાં ઉજાસ ફેલાવવા માટે નું કાર્ય ઉત્તમ હોય તેમ તેઓએ જણાવ્યું હતું. પાલીતાણા તાલુકાના પેન્શનર મંડળના હોદ્દેદારો પણ આ સભામાં ઉપસ્થિત રહ્યાં હતા. નિવૃત્ત આચાર્ય તથા પત્રકાર શ્રી તખુભાઈ સાંડસુર મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હોય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.પેન્શન માટે જરૂરી વારસદાર નિયુક્તિ પેન્શનની ખરાઈ વગેરે બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમની આભારવિધિ શ્રી ઈશ્વરભાઈ પરમારે કરી હતી.

Related Posts