રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટે સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમ પૂર્ણ કરવાનો દ્રઢ સંકલ્પ કરેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૩૦૦૦ થી વધુ ચેકડેમોનું સર્વે તેમજ ૧૩૫ થી વધુ ચેકડેમો પૂર્ણ કરેલ છે.દરેક સુખી-સમૃદ્ધ લોકોએ પોતાની જીંદગીમાં ચેકડેમ/તળાવ બનાવવા જોઈએ.સૌરાષ્ટ્રમાં વરસાદ તો ઘણો થાય છે પરંતુ સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ હોવાના હિસાબે વધારે પડતું પાણી દરિયામાં વહી જાય છે. આ પાણીને રોકવાનો એકમાત્ર ઉપાય હોય તો તે છે ચેકડેમો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાનના ભાગરૂપે આ વર્ષે ૧૦૦% લોકભાગીદારી થી ૧૩૫ થી વધારે નાના-મોટા ચેકડેમો ઊંડા, ઊંચા, રીપેરીંગ તેમજ નવા તૈયાર કરેલ છે. જેનાથી આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો અંદાજીત ૫૦૦ કરોડ કરતા પણ વધારે ફાયદો થયેલ છે અને સૌરાષ્ટ્રની અંદર ૧૧,૧૧૧ ચેકડેમો બનાવવાનો ગીરગંગા પરિવારે દ્રઢ સંકલ્પ કરેલ છે.હાલ પણ સૌરાષ્ટ્રના ઘણા બધા શહેરો નર્મદાના પાણી પર નિર્ભર રહે છે. ભૂતકાળમાં ઘણી વખત દુષ્કાળ પડેલ છે. જો કોઈ કારણોસર નર્મદા નું પાણી સૌરાષ્ટ્રમાં ન આવી શકે તો સૌરાષ્ટ્રની હાલત શું થાય તે વિચારવા જેવું છે !
એક સમયે સૌરાષ્ટ્રની અંદર ઉનાળાના સમયમાં પણ ઘણી નદીઓ વહેતી હતી. હાલ તે વધારે પડતી નદીઓના વહેણો દિવાળી પર જ સુકાય જાય છે. સૌરાષ્ટ્રમાં જે જમીનોની અંદર એક સમયે પાણીના તળ માત્ર ૨૦ થી ૩૦ ફૂટે હતા, તે અત્યારે ઘણી જગ્યાએ ૨૦૦૦ થી ૩૦૦૦ ફૂટે પણ મળી શકતા નથી અને જે મળે છે તે પાણી પણ વાપરવાને યોગ્ય હોતું નથી.યુ.એન.ના એક રીપોર્ટ અનુસાર ૨૦૨૫ સુધીમાં ભારત ભૂગર્ભ જળના જોખમની ટોચ પર પહોંચી જશે, જ્યાં સાઉદી અરેબિયા જેવા દેશો ઉભા છે. ભારતમાં ૭૬% લોકો હાલમાં ગંભીર જળસંકટમાંથી પસાર થઈ રહ્યા છે.ભારતના ૭૦૦ જીલ્લાઓમાંથી લગભગ ૪૦% જીલ્લામાં ભૂગર્ભ જળ ગંભીર સ્તરે પહોંચી ગયું છે.આપણા દેશનું હરિયાળું કહેવાતું શહેર “બેંગ્લોર” પણ હાલ પાણીના મહાસંકટ ની અંદર ઘેરાયેલું છે. ત્યાં લોકોને વાપરવા માટે પણ પાણી મળવું મુશ્કેલ છે. તેમજ સાઉથ આફ્રિકાના કેપટાઉન સિટીની અંદર પણ પીવાના પાણીની મુશ્કેલી છે. તો આવો સમય સૌરાષ્ટ્રની ધરતીમાં ન આવે એના માટે દરેક લોકોએ હાલ જાગૃતવરસાદી પાણી બચાવવાના ઘણા બધા ઉપાયો છે, જેમ કે………દરેક ખેડૂતોએ ખેતરમાં ખેત-તલાવડી બનાવવી જોઈએ.ગામની સિમોમાં નાના-મોટા તળાવો બનાવવા જોઈએ.દરેક નદી અને હોકળાઓની અંદર શક્ય બને તેટલા ચેકડેમો બનાવવા જોઈએ.જરૂર મુજબ જુના બનેલા ચેકડેમોને ઊંડા, ઊંચા તેમજ રીપેર કરવા જોઈએ.કુવા/બોરોને વરસાદી પાણીથી રીચાર્જ કરવા જોઈએ.
૧૨ મહિના વરસાદી પીવાના પાણીનું સ્ટોરેજ બનાવવું જોઈએ.દરેક મકાનોની અંદર રીચાર્જ બોર કરવો જોઈએ.દરેક ખેડૂતોએ શક્ય બને ત્યાં સુધી ડ્રીપનો ઉપયોગ કરવો જોઈએ.શક્ય બને ત્યાં સુધી બોરની ઊંડાઈ વધારવી જોઈએ નહી.દરેક લોકોએ પાણીનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો જોઈએ.“સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી કરવા માટે દરેક જાગૃત લોકોને આ ઉમદા કાર્યમાં જોડાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અપીલ કરીએ છીએ“ વડીલોની યાદમાં ચેકડેમ બનાવવા જોઈએ.જન્મતિથી તેમજ લગ્નતિથિ પણ ચેકડેમ બનાવીને ઉજવી શકાય.
મોટા-મોટા પ્રસંગોમાં ફાલતું ખર્ચ ઘટાડીને ચેકડેમનું નિર્માણ કરી શકાય ચેકડેમના નિર્માણ માટે કથા અને સપ્તાહનું આયોજન કરી શકાય.કંપનીઓ/પેઢીઓ તેમજ બાળકોના નામના ચેકડેમ પણ બનાવી શકાય. ગામડાઓની અંદર બેન્ડ પાર્ટીના સહકારથી પણ ચેકડેમનું નિર્માણ કરી શકાય. દરેક સહકારી સંસ્થાઓએ પણ ચેકડેમ બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ મોટી-મોટી કંપનીઓએ ગામો દતક લઈને ચેકડેમ બનાવવા જોઈએ.નાના-મોટા દરેક પ્રસંગોમાં થયેલ ફાળામાંથી ચેકડેમ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.ગીરગંગા પરિવાર ટ્રસ્ટે ૩૦૦૦ કરતા પણ વધારે ચેકડેમોનું સર્વે કરેલ છે. કે જે ૫૦,૦૦૦/- થી લઈને ૫૦,૦૦,૦૦૦/- સુધીમાં તૈયાર થઈ શકે. જે પણ લોકોને આ પાણી બચાવો અભિયાનમાં પોતાના નામનું ચેકડેમ બનાવવાની ઈચ્છા હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તેને સહકાર રૂપ થશે. મો : ૯૪૦૯૬ ૯૨૬૯૩, ૯૪૦૮૪ ૧૪૫૬૮. તો ચાલો આપણે બધા સાથે મળીને આ સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી કરીએ.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા તેમજ જમનભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, વલ્લભભાઈ કથીરિયા, વસંતભાઈ લીંબાસીયા, અરવિંદભાઈ પાણ, જેન્તીભાઈ સરધારા, સતીશભાઈ બેરા, કિશોરભાઈ કાથરોટીયા, જગદીશભાઈ કોટડીયા, ભરતભાઈ પરસાણા, શિવલાલભાઈ અદ્રોજા, ભરતભાઈ ટીલવા, ગોપાલભાઈ બાલધા, ભરતભાઈ ભુવા, પરસોત્તમભાઈ કમાણી, દિનેશભાઈ વોરા, રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલિયા, ભરતભાઈ પીપળીયા, લક્ષ્મણભાઈ શિંગાળા, ભુપતભાઈ કાકડિયા, રતિભાઈ ઠુમ્મર વગેરેની ટીમ સુંદર સંચાલન કરી રહી છે.
Recent Comments