અમરેલી

ગીરગઢડા તાલુકાની ધોળી વાવની પાવન ભૂમિ પર શ્રી મોજીલા હનુમાનના સાનિધ્યમાં ૧૦૯ કુંડી મહાયજ્ઞનું આયોજન. 

ગીરગઢડા તાલુકાની ધોળી વાવની પાવન ભૂમિ પર શ્રી મોજીલા હનુમાનનાં સાનિધ્યમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવાં ૧૦૯  કુંડી મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે  ત્યારે આ મહાયજ્ઞનો લ્હાવો લેવો એ પણ સૌભાગ્ય જ ગણાય. કદાચ  તમામને માટે એ સમય ન પ્રાપ્ત થઈ શકે, તો કંઈ નહિ પણ તેમના દર્શન માત્રથી ધન્ય થઈ જવાય છે. આ પાવનકારી મહાયજ્ઞનાં દર્શન પણ દુર્લભ છે. ખરેખર આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ગીરગઢડાની  ભૂમિ પાવન થઈ રહી હોય ત્યારે આ મહાયજ્ઞના દર્શન કાજે પણ ગીરગઢડા ખાતે માનવ મહેરામણ ઉમટશે. અરે ગીરગઢડાના પશુ પક્ષી નર નારી દરેક  ખરેખર ધન્ય છે. તો દરેક ધર્મપ્રેમી મિત્રોને આ મહાન સેવાકીય કાર્યમાં યથાશક્તિ અનુદાન અર્પણ કરી આ પાવનકારી મહાયજ્ઞમાં સહભાગી બનવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. ફૂલ નહી તો ફૂલની પાંખડી આપનું અનુદાન આ પાવન મંગલકારી યજ્ઞ કાજે અર્પણ કરી સહયોગ આપવા વિનંતી. ટૂંકમાં અહીં કબીર સાહેબની દાન સંદર્ભે એક પંક્તિ ખૂબ જ રૂચિકર છે. પંછી પાની પીને સે ઘટે ના સરિતા નિર, દાન દિયે ધન ન ઘટે સહાય કરે રઘુવીર.

Related Posts