ગીર અભ્યારણની સ્વચ્છતા માટે 15000 કાપડની થેલીનું વિતરણ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગિરનારની લીલી પરિક્રમા સમયે શિશુવિહાર થી 15000 કાપડ બેગનું વિતરણ કરવામાં આવ્યુ હતુ..ગીર જંગલમાં વન સંરક્ષણ અને વન્ય પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે કાર્યરત wildlife conservation trust ના સહયોગ થી આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓ યાત્રા દરમિયાનની ભોજન સામગ્રી પ્લાસ્ટિક બેગમાં સાથે ન લઇ જાય તેની કાળજી લેતાં તમામ યાત્રિકોને ભાવનગરથી શ્રમિક બહેનોએ તૈયાર કરેલ 20 ઇંચ × 14 ઇંચની કાપડની થેલીઓ રીપ્લેસ કરી આપવામા આવશે. આ પ્રસંગે તા.30 સપ્ટેમ્બર નાં રોજ સંસ્થા પરિસરમાં શિશુવિહાર સંસ્થાનાં પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે , ફૂલછાબ નાં પ્રતિનિધિ શ્રી બકુલભાઈ ચાતુર્વેદી , સંસ્થાનાં મંત્રી ડૉ નાનકભાઈ ભટ્ટ ની ઉપસ્થિતિ માં રાજકોટ wildlife conservation trust નાં શ્રી શીતલબહેનને વિતરણ કરવામાં આવ્યુ હતું.
ગીર અભ્યારણની સ્વચ્છતા માટે 15000 કાપડની થેલીનું વિતરણ

Recent Comments