બાળકીની શોધ કરતા ઘરની થોડેક દૂર મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. બાળકીના મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો છે. ગીર સોમનાથમાં બાળકીને દીપડાએ ફાડી ખાતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. ગીર ગઢડાના કોદીયા ગામે મોડી રાત્રે ૪ વર્ષની બાળકીને ઘરના રસો઼ડામાંથી દીપડાએ ફાડી ખાધા હોવાનું જાણવા મળ્યું છે. બાળકીની શોધ કરતા ઘરની થોડેક દૂર મૃતદેહ મળી આવ્યો હતો.
વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. બાળકીના મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો છે. વન વિભાગે માનવ ભક્ષી દીપડાને પાંજરે પૂર્યો છે.બાળકીના મોતથી પરિવારમાં આક્રંદ જાેવા મળ્યો છે. લોકોની માનવ ભક્ષી દીપડાને પાંજરે પૂરવા માગ ઉઠી છે. ઘરનાં રસોડામાં ભોજન લેવાની રાહમાં બેઠેલી બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી, જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે, તેમજ પરિવારમાં માતમ જાેવા મળ્યો છે. બાળકીના પિતાએ તેને બચાવવા પાછળ દોટ મૂકી હતી, પરંતુ દીપડાએ માસૂમ બાળકીને તેનો શિકાર બનાવી હતી.
Recent Comments