ગુજરાત

ગુજરાતમાં ઈ-કોમર્સ કંપનીઓને છેતરપિંડી બદલ ૨૫ લાખનો દંડ ફટકારાયો

ઓનલાઇન વેચાણ કરતી કંપનીઓ દ્વારા થતી છેતરપિંડી સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી. આ કંપનીઓ ગ્રાહકોને યોગ્ય જાણકારી પણ આપતી ન હતી. ડિસેમ્બરમાં મોટા ભાગની ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા મોટા પાયે સેલ જાહેર કરાય છે અને આ દિવસોમાં મોટા પાયે વેચાણ પણ થાય છે, જેથી છેતરપિંડીના કિસ્સા પણ વધુ બને છે. તોલમાપ વિભાગે આ સમય પસંદ કરી ડ્રાઇવ ચલાવી છે.

તોલમાપ-ગ્રાહક સુરક્ષા નિયામકની કચેરીએ અગાઉ મલ્ટિપ્લેક્સ, હોટેલ રેસ્ટોરાં, હાઇવે હોટલો અને અન્ય એકમો સામે કાર્યવાહી કરી છે. ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો કચેરીને ર્ંઙ્મદ્બટ્ઠॅ-ટ્ઠરઙ્ઘજ્રખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર મેઇલથી રજૂઆત કરી શકાશે. ઇ-કોમર્સ કંપનીઓ ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ કરતી હોવાથી અને તેમની ઓફિસ પણ ગુજરાતમાં ન હોવાથી તેમની તપાસ પણ ઓનલાઇન જ કરવી પડે અને પુરાવા ઓનલાઇન મેળવવા પડે તેમ હતા. આથી દરેક જિલ્લાના ૧૦૦ અધિકારી- કર્મચારીઓને આઈટીની તાલીમ અપાઈ હતી. મોટા ભાગની કંપનીઓએ તેમની એપ કે વેબસાઇટ પર ગ્રાહકોની ફરિયાદ કે મુશ્કેલી માટે પોતાનું ઓફિસ એડ્રેસ, ટોલ ફ્રી નંબર, ઇમેઇલ જેવી વિગતો દર્શાવી ન હતી.

કેટલીક કંપનીઓએ પોતાના પ્લેટફોર્મ પર વેચાણ માટે મૂકેલી વસ્તુઓમાં નિયમ મુજબની મેન્યુફેક્ચરિંગ ડેટ, વજન, એમઆરપી, એક્સપાયરી ડેટ, એડ્રેસ વગેરે દર્શાવાયું ન હતું. કેટલીક કંપનીઓએ પ્રોડક્ટનો એક્ચ્યુઅલ ફોટો મૂક્યો ન હતો. ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપનીઓ દ્વારા એપમાં મૂકાતા મેન્યુમાં વાનગીઓનું વજન દર્શાવાતું ન હતું.રાજ્યમાં ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ગ્રાહકો સાથે થતી છેતરપિંડીની ફરિયાદોના પગલે તોલમાપ અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા ઇ-કોમર્સ કંપનીઓ પર દરોડા પાડી એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, સ્નેપડીલ, સ્વિગી, ઝોમેટો, જિયો માર્ટ સહિત ૬૦ કંપનીને ૨૫ લાખનો દંડ ફટકારાયો છે. ઇ-કોમર્સ કંપનીઓ સામે દેશમાં પ્રથમવાર તોલમાપ અને ગ્રાહક સુરક્ષા ખાતા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

Related Posts