હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે કે , હસ્ત નક્ષત્રમાં ગાજવીજ થાય અને વરસાદ વરસે તો આગલા વર્ષનો કોલ ગણાય છે. હસ્ત નક્ષત્ર તા. ૨૭ સપ્ટેમ્બરે સવારે બેસે છે. આથી આથી હસ્ત નક્ષત્રમાં તા.૨૭થી ૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં રહેવાની શક્યતા છે.આથી હસ્ત નક્ષત્રમાં તા.૨૭થી ૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદી પડવાની શક્યતા છે.બંગાળના ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. તે મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ વાવાઝોડું આગામી ૨૪ કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. જેને કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી ૨૪ કલાકમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આ વાવાઝોડાની અસરથી રાજ્યમાં ૪૦થી ૬૦ કિલોમીટરની ગતિના પવનો અને ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વાવાઝોડાની અસરના કારણે ૨૮-૨૯ સપ્ટેમ્બર તો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી શકે છે. આમ ૨૭મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૨૮ સપ્ટેમ્બરના રોજ આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં સારો વરસાદ વરસી શકે છે. આ સાથે ૨૯ સપ્ટેમ્બરના રોજ ૪૦થી ૬૦ કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે. ૩૦ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે.
Recent Comments