ગુજરાતમાં હાલ નવરાત્રીનો પર્વ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. જાે કે બીજી તરફ નવરાત્રીમાં ગરબા રમી રહ્યા હોય તે દરમિયાન હાર્ટ એટેક આવ્યા હોય તેવા પણ અનેક કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પ્રતિ કલાકે હાર્ટને લગતા ૧૨ ઈમરજન્સી કેસ નોંધાઇ રહ્યા છે. નવરાત્રીના બીજા દિવસે દર કલાકે ઈમજન્સીના ૧૨ કોલ્સ મળ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ગરબાની પ્રેક્ટિસ કરતા દરમિયાન હાર્ટ એટેકથી યુવાનોનું મૃત્યુ થયુ હોય તેવી અનેક ઘટનાઓ સામે આવેલી છે. ત્યારે હવે નવરાત્રી દરમિયાન હાર્ટને લગતી સમસ્યા સર્જાઇ હોય તેવા ઇમરજન્સી કોલ નોંધાઇ રહ્યા છે. રાજ્યભરમાં આવા અત્યાર સુધીમાં કુલ ૬૯ કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં ૧૯ કેસ મળ્યા છે.તો શ્વાસને લગતા કુલ ૯૦ કોલ્સ મળ્યા, અમદાવાદમાં ૩૨ કોલ્સ મળ્યા છે. રાજ્યમાં અકસ્માતના કારણે ઈજાના સરેરાશ ૨૫ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં પ્રતિ કલાકે હાર્ટ એટેકને લગતા નોંધાઇ રહ્યા છે ૧૨ ઈમરજન્સી કેસ

Recent Comments