ભાવનગર

ગુજરાત અને મહારાષ્ટ્રમાં થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગત દિવસોમાં ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ માર્ગ અકસ્માત સર્જાયા હતા અને તેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સૌરાષ્ટ્રમાં સિહોર તાલુકામાં બોઈલર ફાટવાને લીધે અને નદીમાં ડૂબી જતાં થયેલા અકસ્માતમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. પૂજ્ય મોરારીબાપુ વતી સ્થાનિક પત્રકાર શ્રી મુકેશભાઈ પંડિત દ્વારા રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. તે ઉપરાંત મોરબી પાસે ખારચિયા ગામમાં એક ફેકટરીમાં બોઈલર ફાટવાને લીધે બે વ્યક્તિઓ નાં મોત નિપજયા છે. મોરબીના લજાઈ ગામનાં રામકથાના શ્રોતાઓ દ્વારા બંને માર્યા ગયા છે તેમના પરિવારજનોને રુપિયા ૩૦,૦૦૦ની રાશિ પહોંચાડવામાં આવશે. 

સાવરકુંડલા તાલુકાના લુવારા ખાતે સિંહણ દ્વારા એક કિશોરને ફાડી ખાવાની ધટના બની છે ત્યારે તે કિશોરના પરિવારજનોને પંદર હજાર રૂપિયાની સહાયતા અર્પણ કરવામાં આવશે.  એ પ્રમાણે મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં કાપડની દુકાનમાં આગ લાગી હતી અને તેમાં એક પરિવારના ૭ લોકોનાં મોત નિપજયા છે. રામકથાના શ્રોતાઓ દ્વારા આ મરુતકોના પરિવારજનોને ૧,૦,૫૦૦૦ રાશિ પહોંચાડવામાં આવશે. આમ કુલ મળીને રુપિયા ૧,૯૫,૦૦૦ ની સહાય મોકલવામાં આવી રહી છે. વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.

Related Posts