ગુજરાત

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ હડતાલ પર : આજથી બસો બંધ થશે

એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને માગ પર ઉતર્યા છે. મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે બેઠક થઇ હતી. પરંતુ આ બેઠકમાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યુ નથી. તેમની સાતમાં પગારપંચની માંગ સાથે કુલ ૨૦ જેટલી માંગણીઓ છે. જેના કારણે કર્મચારીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે અન્ય સંસ્થાઓને મોંઘવારી ભથ્થુ ૨૮ ટકા આપવામાં આવે છે. તો આ કર્મચારીઓને માત્ર ૧૨ ટકા મોંઘવારી ભથ્થુ મળે છે. સાથે કોરોનાકાળમાં કોરોનાના કારણે મુર્ત્યું પામેલા કર્મચારીને ૨૫ લાખની સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. :
પરંતુ તે પૂરો થાય નથી. આ સાથે ગ્રેડ પે અને ફિક્સ પેને લઈને પણ કર્મચારીઓમાં અસંતોષ છે.તહેવારોની સીઝનમાં જી્‌ બસના પૈડા થંભી જશે. જી હા જી્‌ કર્માંચારોમાં તેમની માગ ના સંતોષાતા રોષ જાેવા મળી રહ્યો છે. આજ મધરાતથી એસટી કર્મચારીઓ પડતર માગોને લઈ હડતાળ પર ઉતરશે. ગુજરાત એસટી નિગમના અંદાજીત ૩૫ હજાર વધુ કર્મચારીઓ હડતાળ કરવા જઈ રહ્યા છે. પડતર માંગણીઓનો કોઇ ઉકેલ ન આવતા તમામ કર્મીઓ માસ સીએલ પર ઉતરશે. જેથી ૮ હજાર બસો ૨૧ઓક્ટોબરથી થંભી જશે એવી માહિતી છે. આ હડતાળના કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. જાેવું રહ્યું કે તેમની માગ ક્યારે પૂરી થાય છે. અને આ હડતાલ ક્યાં સુધી ચાલે છે.

Related Posts