અમરેલી પરશુરામ ધામ ખાતે ગુજરાતમાં વસતાં કથાકાર – વૈદિકકમૅ – જ્યોતિષ પુજારીના સંગઠન એવા ગુજરાત કમૅકાંટમંચ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ટ્રસ્ટીશ્રી યોગેશભાઈ ત્રિવેદી તથા જીલ્લા પ્રમુખ મનજીદાદા રાજગોર દ્રારા અમરેલીના જીલ્લાના કથાકાર – જ્યોતિષ શાસ્ત્રી શ્રી સુરેશભાઈ મહેતાની અમરેલી તાલુકાના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
આ તકે સમગ્ર જીલ્લાના વિવિધ તાલુકા પ્રમુખો શ્રી જીતુભાઈ જોષી , ભાનુદાદા જોષી , જયેન્દ્રભાઈ પંડયા ,કમલભાઈ પંડયા ,અમિતભાઈ ત્રિવેદી તેમજ કથાકાર શ્રી ચંદ્રેશભાઈ જોષી તથા અમરેલી શહેરના તથા ગામડાના સર્વે કમૅકાંડ કરતા ભૂદેવોની પ્રેરક હાજરી રહી હતી. આ ભગીરથ કાર્યને સફળ કરવા માટે યુવા કથાકાર શાસ્ત્રી જીગરભાઈ મહેતા (કાશીવાળા) એ અથાંન પ્રયત્ન કરી દરેક ભૂદેવને વ્યક્તિગત આમંત્રણ આપી આમંત્રિત કરેલ હતા. જેવી કાર્યક્રમ સુરૂચીરૂપે પાર પડેલ હતો તથા ભૂદેવ પ્રેમી ભગવતી સેલ્સવાળા શ્રી ધમેઁશભાઈ જોષીએ બધા જ ભૂદેવોને અલ્પાહાર કરાવી ધન્યતા અનુભવી હતી.
ગુજરાત કમૅકાંડમંચ ચેરીટેબલ ટ્રસ્ટ ના અમરેલી તાલુકા પ્રમુખ તરીકે શાસ્ત્રી શ્રી સુરેશભાઈ મહેતાની નિમણુંક

Recent Comments