ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા અમૃતકાળનું આત્મ નિર્ભર બજેટ સરકાર દ્વારા રજુ થયેલ છે. જેમાં ગુજરાતના સર્વાંગી વિકાસ કરવાની ભા.જ.પની નેમ વ્યકત થઈ છે. તેમ ગુજરાત ભા.જ.૫ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રીશ્રી હિરેન હિરપરાએ જણાવ્યું છે.
ગુજરાતના આત્મ નિર્ભર બજેટમાં ખેતી, શિક્ષણ, આરોગ્ય, માર્ગ-મકાન, પ્રવાસન, સામાજિક ન્યાય અને અધિકારીતા સહિતના રાજ્યના વિકાસ માટેના આધારસ્તંભ વિભાગો આવરી લેવાયા છે, આ બજેટ 3.1 લાખ કરોડ રૂપિયાનું રજુ થયું છે. જેમાં ગત વર્ષ બજેટ કરતા 57 હજાર કરોડ જેવી માતબર રકમનો વધારો કરાયો છે, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ થકી રાજ્યના ખેડૂતોના અને ખેતીના વિકાસ માટે 22 હજાર કરોડથી વધુ માતરબ રકમની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં સાત નવી મહાનગર પાલિકાઓની જાહેરાત થતા જેનાથી રાજ્યના વિકાસને વેગ મળશે.
રાજ્યમાં દીકરીઓના શિક્ષણને ધ્યાને રાખીને સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તમ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનારી અને પાત્રતા ધરાવતી 10 લાખ દીકરીઓને ધોરણ 9 અને ધોરણ 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15 હજાર સહાય આપવામાં આવશે. આ નમો લક્ષ્મી યોજનાના અમલીકરણથી દીકરીઓનું અભ્યાસ સ્તર સુધારશે.
આમ આ બજેટ તમામ ક્ષેત્રના વિકાસ માટે સર્વાંગી અને શ્રેષ્ઠ સર્વ સમાવેશી બજેટ છે, તેને ગુજરાત ભા.જ.૫ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રીશ્રી હિરેન હીરપરાએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.
Recent Comments