અમરેલી

ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરતા સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ 

આજ રોજ સાવરકુંડલા ખાતે ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રા સાવરકુંડલા ખાતે  આવેલ  જેમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નેસડી રોડ ગેઇટ થી લોહાણા બોર્ડીંગ મહુવા રોડ સુધી બાઈક રેલી અને ફોર વ્હીલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. સૌરાષ્ટ્ર માં અમરેલી જીલ્લામાં પરિવર્તન સંકલ્પ યાત્રા સાવરકુંડલા  આવતા આમ જનતા અને લોકોમાં નવો જુસ્સો જોવા મળીયો હતો કોંગ્રેસ ના તમામ સગંઠન, ફ્રન્ટ સેલ ના આગેવાનો તેમજ કોંગ્રેસ ની વિચાર ધારા ની સાથે ચાલનાર કાર્યકતા આગેવાનો મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 આ પરીવર્તન યાત્રા માં ઓલ ઇન્ડિયા કૉંગર્સના સચિવ મુકુલ વાસનીક, કન્વીનર શ્રી તથા પૂર્વ વિરોધપક્ષ ના નેતા અને ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી , વીરજીભાઇ ઠૂમ્મર, ધારાસભ્ય શ્રી બાબરા, અમરિષભઇ ડેર ધારાસભ્ય શ્રી રાજુલા, પુંજાભાઈ વંશ ધારાસભ્ય શ્રી ઉના, પ્રતાપભાઈ દૂધાત ધારાસભ્ય શ્રી સાવરકુંડલા-લીલીયા, તેમજ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી જેનિબેન ઠૂમર તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી.કે. રૈયાણી, બાઘા ભાઈ સૂચક, ચંદ્રેશભાઈ રવાણી તેમજ જિલ્લા સમિતિ તેમજ  સાવરકુંડલા તાલુકા પ્રમુખ મનુભાઈ ડાવરા અને શહેર કોંગ્રેસ સમિતી ના પ્રમુખ કનુભાઈ ડોડીયા, કાર્યકારી પ્રમુખ હશુભાઈ સૂચક, તેમજ તાલુકા અને શહેર કૉંગ્રેસ સમિતિ ના તમામ હોદેદારો, સંગઠન ના તમામ હોદેદારો હજાર રહયા હતા.

અને તમામ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવેલ હતા, અને તમામ કોંગ્રેસ આગેવાનો દ્વારા આ પરીવર્તન સંકલ્પ યાત્રા માં સંકલ્પ લેવામાં આવેલ અને આમ જનતા તેમજ મધ્યમ વર્ગ ના લોકો, વેપારીઓ, અને નાના માં નાના માણસ હાલ 27 વર્ષ થી ત્રસ્ત થયેલ છે, જેથી લોકો પરીવર્તન ઇચ્છી રહ્યા છે. અને લોકોમાં કોંગ્રેસ માં જુસ્સા સાથે કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી,  આમ હેવે પરીવર્તન એજ ઉદ્ધાર તેમણે સાર્થક કરવા હાલ કોંગ્રેસ તમામ સમિતિ કામે લાગી ગઈ છે

Related Posts