ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા અને વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત અમરેલી ખાતે નવા બની રહેલ એસ.ટી ડેપો સહિતના એસ.ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ અભિયાન અંતર્ગત ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી વાહન વ્યવહાર મંત્રીશ્રીના વરદ હસ્તે આ કેમ્પેઈનનો લોગો, ઝીંગલ તથા ક્યુ આર કોડ થકી પેસેન્જર ફીડબેક સિસ્ટમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ. રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશની શરુઆત કરવામાં આવી હતી. આ અભિયાનનું આયોજન લોકોમાં સ્વચ્છતા માટે જાગૃતિ આવે તે માટે કરવામાં આવ્યુ હતુ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા હેશટેગ સાથે કેમ્પેઈનનો પ્રચાર-પ્રસાર અમરેલી વિભાગના તમામ બસ સ્ટેશન તથા કંટ્રોલ પોઈન્ટના બસ સ્ટેશનો ખાતેથી કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુતરીયા, એસ.ટી. વિભાગીય નિયામકશ્રી, એસ.ટી. વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આ અભિયાન અંતર્ગત પ્રથમ, બીજું અને ત્રીજું અઠવાડિયું વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાશે, તેમ ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમરેલી વિભાગીય નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન યોજાયું



















Recent Comments