ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ એક અવૈધિક શિક્ષણ સંસ્થા જે શાળા શિક્ષણ અને સમગ્ર શિક્ષણ માટે કાર્યરત છે. તેના અનેક પ્રકલ્પોના ભાગરૂપે દર વર્ષે બે શિક્ષણ પરિસંવાદો એટલે કે શિક્ષણ સંગોષ્ઠિઓનું આયોજન થતું હોય છે. આ પ્રકારની સંગોષ્ઠીઓના કુલ પાંચ મણકાઓ સફળતાપૂર્વક પૂર્ણ થયાં છે.અને હવે છઠ્ઠી સંગોષ્ઠિ આગામી તારીખ 14, 15,16 નવેમ્બરના રોજ જૂનાગઢ ખાતે યોજાઈ રહી છે.
સંસ્થાના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર તથા સાથીઓ શ્રી શ્યામજીભાઈ દેસાઈ, ડો. મહેશભાઈ ઠાકર, જીતુભાઈ જોશી આ આયોજનની વિગતો આપતા જણાવે છે કે 14 નવેમ્બર ગુરુવાર ને બપોરે 2:30 કલાકે ઉદ્ઘાટન બેઠક થશે.આ બેઠકમાં માનનીયશ્રી જવાહરભાઈ ચાવડા માજી મંત્રીશ્રી, ડો. ચેતનભાઈ ત્રિવેદી કુલપતિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી, પૂજ્ય શ્રી શેરનાથબાપુ ગોરક્ષ આશ્રમ, ડો. હસમુખભાઈ પટેલ સંચાલક શ્રી, તથા શ્રી અનિલભાઈ કાવાણી વગેરે મહેમાનો ઉપસ્થિત રહેશે.બીજી બેઠકમાં સંત સાહિત્યના વિદ્વાન ડો. નિરંજન રાજ્યગુરુ” સંત સાહિત્ય અને શિક્ષણ” ના વિષય પર વ્યાખ્યાન આપશે. રાત્રી બેઠકમાં જાણીતા લોકસાહિત્યકાર શ્રી લાખણશીભાઈ ગઢવી લોકવાર્તા અને લોકસાહિત્યના ઐતિહાસિક મૂલ્યને પ્રસ્થાપિત કરશે.
તા.15 મી ની પ્રથમ બેઠકમાં ડો. સેફાલીકા અવસ્થિ ‘ઈતિહાસ અને સંસ્કૃતિમાં સંગ્રહાલયમાં ભૂમિકા’ એ વિષય ઉપર પોતાના વિચારો રજૂ કરશે. બપોર પછીની બેઠકમાં જાણીતા ઈતિહાસવિદ્ ડો. પ્રદ્યુમન ખાચર જૂનાગઢના સ્વાતંત્ર્ય ઇતિહાસની તવારિખ રજૂ કરશે.સમાપન બેઠકના મહેમાનો ડો.પ્રિયવદન કોરાટ અને શ્રી નિલેશભાઈ સોનારા શિક્ષણ બોર્ડ સભ્ય વિશેષ ઉપસ્થિત રહેશે.સંસ્થાનો એક પ્રકલ્પ જાહેર પરિક્ષાના સ્ટ્રેસ મુક્તિનો પણ ચાલે છે તે માટે પણ પ્રવક્તાઓને તજજ્ઞો તાલીમબદ્ધ કરશે.જેમા ડો.ધર્મેન્દ્ર કનાલા ડો, જીતુભાઈ ખુમાણ,શ્રી એલ.વી જોશી માર્ગદર્શન આપશે.આ સંસ્થા શિક્ષણના પાયાના ક્ષેત્રમાં પણ વિવિધ કાર્યક્રમો ચલાવી રહી છે.આ દિવસોના કાર્યક્રમ દરમિયાન સંગોષ્ઠિના સાધકો નકલંગધામ તોરણીયા તથા જૂનાગઢના ઐતિહાસિક મ્યુઝિયમની પણ મુલાકાત લેશે. ત્રીજા દિવસ ગિરનાર અને જૂનાગઢ દર્શનનો રાખવામાં આવ્યો છે.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રી અનિલભાઈ કાવાણી ડો. હસમુખભાઈ કોરાટ ડો. ભાવનાબેન ઠુંમર વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.
Recent Comments