ગુજરાત

ગુજરાત સરકારે IAS-IPS અધિકારીઓને સોશિયલ મીડિયા પ્રોફાઇલ લોક રાખવા સૂચના આપીસોશિયલ એકાઉન્ટ હેક થતાં સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

ગુજરાત સરકારે ૈંછજી-ૈંઁજી અધિકારીઓને સોશિયલ મીડિયા પ્રોફાઇલ લોક રાખવા સૂચના આપી છે. સોશિયલ એકાઉન્ટ હેક થતાં સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકાર દ્વારા અધિકારીઓને પ્રોફાઇલ ચેક કર્યા પછી જ અજાણ્યાની રિકવેસ્ટ સ્વીકારવામાં જણાવવામાં આવ્યુ છે. અન્યોને તાલીમ આપતા અધિકારીઓને પણ ગઠિયાઓથી ચેતવા સલાહ આપવામાં આવી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા ૈંછજી-ૈંઁજી માટે ૧૦ મુદ્દાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં અધિકારીઓએ શું કરવુ અને શું ન કરવુ તે અંગે માહિતી આપવામાં આવી છે.

અધિકારીઓને તેમના નામે બનેલા ફેક એકાઉન્ટની માહિતી આપવા પણ આદેશ આપવામાં આવ્યુ છે. ૈંઁજી હસમુખ પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક થયા બાદ આ મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લા વર્ષમાં ૈંઁજી-ૈંછજીના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની અનેક ઘટના બની છે. છેલ્લા ૫ વર્ષમાં કેન્દ્રના ૬૪૧થી વધુ એકાઉન્ટ હેક થયા હોવાનું સામે આવ્યુ છે. વર્ષ ૨૦૧૭માં કુલ ૧૭૫ એકાઉન્ટ હેક થયા હતા. તો વર્ષ ૨૦૧૮માં માત્ર ૧૧૪ એકાઉન્ટ જ હેક થયા. વર્ષ ૨૦૧૯માં હેકિંગની સંખ્યા ૬૧ થઈ ગઈ હતી. વર્ષ ૨૦૨૦માં ફરી હેકિંગની સંખ્યા વધીને ૭૭ થઈ હતી. તો વર્ષ ૨૦૨૧માં એકાઉન્ટ હેક થવાની ૧૮૬ ઘટના બની.

Related Posts