ભાવનગર

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવનો ભવ્ય સાહિત્યપર્વ

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવળ ઈતિહાસને ઉજાગર કરતાં ૨૩ પુસ્તકોનો ભવ્ય વિમોચનસમારોહ તા. ૨૫-૨-૨૦૨૩ શનિવાર સાંજે ૬.૦૦ કલાકે મેડિકલ એસોસિએશન હોલ ખાતે યોજાશે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર ભાગ્યેશ જહાના અધ્યક્ષસ્થાને ‘સાહિત્યપર્વ’નું આયોજન થયું છે, જેમાં ગુજરાતના જાણીતા સાહિત્યકારો ભાગ લેશે. સાહિત્યરસિકોને પધારવા જાહેર નિમંત્રણ છે.

અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને બુકશેલ્ફના સર્જક હિરેન શાહ અતિથિવિશેષ હશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન  જાણીતા લેખક રાજ ભાસ્કર અને સંકલન સુખ્યાત કવિ હરદ્વાર ગોસ્વામી કરશે. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, રક્ષા શુક્લ, લલિત ખંભાયતા, હર્ષ મેસવાણિયા વિશેષ વક્તવ્ય આપશે. પરીક્ષિત જોશી, પ્રદીપ ત્રિવેદી, જયવંત પંડ્યા, દિવ્યેશ વ્યાસ, નિરાલી બદિયાણી, કાશ્યપી મહા, ધનંજય રાવલ અને સુરેશ શ્રોફ વિવિધ ક્ષેત્રના ૭૫ વર્ષનું સરવૈયું રજૂ કરશે. કલારસિકો માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે. .

વધુ વિગત માટે ૯૮૭૯૨૪ ૮૪૮૪ સંપર્ક કરવો.    

Related Posts