છેલ્લા બે વર્ષથી વિશ્વવ્યાપી કોરોનાની મહામારીને પગલે બે વર્ષેથી આ મહાપર્વની ઉજવણી થઈ શકી ન હતી, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી કાબૂમાં હોય જેને પગલે સરકાર-તંત્ર દ્વારા ચોક્કસ ગાઈડલાઈનના પાલન સાથે મહાપર્વની ઉજવણી કરવાની છુટછાટ જાહેર કરી છે ત્યારે માત્ર ભાવનગર જ નહીં પરંતુ દેશ-વિદેશમાં દુઃખીયાઓના બેલી અને ઓલીયા સંત તરીકે જગ વિખ્યાત સંત શિરોમણી બજરંગદાસ બાપાની તપોસ્થળી ગુરૂઆશ્રમ બગદાણા ધામ ખાતે આ વર્ષે લાખો ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. રસોડા વિભાગ સહિત અલગ અલગ ૨૧ વિભાગોમાં આયોજનપૂર્વક કામગીરીની વહેંચણી કરવામાં આવી છે. દર વર્ષની જેમ ગુરુપૂર્ણિમાની ઉજવણીના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત થવાની ગણતરી સાથે રસોડા વિભાગમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે, મોટા માનવ સમુદાયની વ્યવસ્થાઓને પહોંચી વળવા માટે સ્વયંસેવક મંડળના ૮૭ ગામોના ૨૦૦૦ થી વધુ ભાઈઓ અને ૫૦૦ થી વધુ મહિલાઓ સ્વયંસેવક તરીકે સેવા પૂરી પાડી છે, ગુરુ આશ્રમની પરંપરા પ્રમાણે દરેકને ભોજન પ્રસાદ પંગતમાં બેસીને પીરસવામાં આવે છે.
વ્યવસ્થા ખાતર ગોપાલ વાડીમાં ભાઈઓ અને સંતો તેમજ આશ્રમની નજીકના પરિસરમાં આવેલા રસોડા વિભાગમાં બહેનો ભોજન પ્રસાદ લેવામાં આવે છે, પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસ સહિત ૧૩૦ પોલીસ કોન્સ્ટેબલ, ૧ પીઆઈ, ૫ પીએસઆઈ તેમજ ૯૦ હોમગાર્ડના જવાનોનો બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આકસ્મિક સંજાગો માટે મહુવા નગરપાલિકા દ્વારા એક ફાયર ફાઈટર વાહન સ્ટેન્ડ બાય રહેશે. આ સિવાય એક ૧૦૮ સહિત ત્રણ મેડિકલ એમ્બ્યુલન્સ પણ રહેશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલમપર દ્વારા અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પ્રાથમિક સારવાર તેમજ બાર વર્ષથી ઉપરનાને કોરોના રસીકરણ કેમ્પ પણ રહેશે. આશ્રમ પરિસરમાં અહીં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂ આશ્રમ બગદાણા ખાતે હજારો ભક્તો દર્શનાથે પહોંચ્યા હતા અને લાખો લોકો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવશે.
બે વર્ષના અંતરાલ બાદ ધામધુમ પૂર્વક ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ સાથે જ અનેક ધાર્મિક કાર્યકમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બગદાણા ઘામ ખાતે ગુરુપૂર્ણિમા નિમતે બાપાને સવારે ૫ વાગે મંગળા આરતી, ધ્વજ પૂજન ૭ કલાકે, ધ્વજ રોહણ ૭ઃ૩૦ કલાકે તથા ગુરુપૂજન ૮ઃ૩૦ કલાકે સહિતના ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, ત્યારેબાદ સાંજ સુધીમાં લાખો ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવશે. સંતોની ભૂમિ તરીકે જગ વિખ્યાત ગોહિલવાડમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જીવને ઈશ્વર સુધી પહોંચાડવામાં ચાવી રૂપ ભૂમિકા ભજવે છે અને જરૂર જણાયે ઈશ્વર ખુદ એક ગુરૂ ના રૂપે સૃષ્ટિમાં અવતાર ધારણ કરી દુરાચારનો અંત કરી સકળ જગતનું કલ્યાણ કરે છે એ સદ્દગુરૂ નો મહિમા વર્ણવતુ પર્વ એટલે ગુરૂપૂર્ણિમાં ભાવનગર શહેર જિલ્લામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓઓ દ્વારા ભક્તિના અનોખા ભાવ સાથે ગુરૂપૂર્ણિમાં પર્વની ઉજવણી કરવામાં આવે છે.


















Recent Comments