અમરેલી

ગ્રીન બર્થ ડે સવજીભાઈ ધોળકિયા ના ૬૧ માં જન્મ દીને ગાંગડિયા નદી કાંઠે ૬ લાખ વૃક્ષો નું મિયાવાંકી વન નિર્માણ કરવા ના સંકલ્પ સાથે આજે વૃક્ષા રોપણ

લાઠી તાલુકા માં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના ૬૧ માં જન્મ દીને ગાંગડિયા નદી કાંઠે મિયાવાંકી પદ્ધતિ થી ૬ લાખ  વડ ઉંમરા પીપળા આંબા સફરજન સહિત ના વૃક્ષો નું વન નિર્માણ કરવા ના શુભ સંકલ્પ સાથે તા.૧૨/૦૪/૨૩ ના રોજ પદ્મશ્રી  સવજીભાઈ ધોળકિયા પોતા ના ૬૧ માં જન્મ દીને વનીકરણ અભિયાન થી પ્રારંભ કરશે આ વિસ્તાર માં  પ્રકૃતિ જૈવવિવિધતા ના સંરક્ષણ તથા પર્યાવરણ ના સરક્ષણમાં મહત્વ ની ભૂમિકા ભજવશે હર હમેશા કઈક નવું કરવા તથા સમાજ માં પ્રકૃતિ અને જળ સંરક્ષણ ની પ્રવૃત્તિ માટે અનેકો સિદ્ધિ ઓના પ્રણેતા ઉદ્યોગ રત્ન પદ્મશ્રી સવજીભાઈ એ પોતા ના ૬૧ માં જન્મદીને ગાંગડિયા નદી ના કિનારે  છ લાખ વૃક્ષો  મિયાવાંકી વન નિર્માણ કાર્ય ના પ્રારંભ સાથે ઉછેર ના સંકલ્પ સાથે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા હરસુરપુર દેવળીયા લુવરિયા દુધાળા કેરિયા અકાળા રાણસિકી સહિત ના વિસ્તાર માં જળ સંરક્ષણ માટે નમૂના રૂપ કાર્ય કરી પ્રેરણાત્મક પ્રવૃત્તિ બાદ વધુ એક પ્રકૃતિ સંરક્ષણ ના વંદનીય કાર્ય નો પ્રારંભ કરશે

Related Posts