અમરેલી

ગ્લોબલ ઈનોવેશન કો.–ઓપ સમીટમાં ભાગ લેતા દિલીપ સંઘાણી

ભારત અદ્યતન ટેક્નોલોજી અને નેનો યુરીયાના આધારે ખેતિ અને સહકારી પ્રવૃતિમા મુલ્યવર્ધક બળ પુરૂ પાડવામા સક્ષમ બનવા તરફ હરણફાળ ભરી રહયાનું વિદેશની ધરા ટ્રાન્સ – પેરીસ ખાતે આયોજીત ગ્લોબલ ઈનોવેશન કો.ઓપ.સમીટને સંબોધતા રાષ્ટ્રિય સહકારી નેતા , ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી એ જણાવેલ છે . સમીટમા ભાગ લેતા સંઘાણીએ વધુમા જણાવેલ કે , ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સહકારી પ્રવૃતિ વિકાસની દિશા બને જેમા સ્માર્ટ ફોન , ડ્રોન , ઈન્ટરનેટ , માહિતી અને પ્રસારણ , સંચાર ટેકનોલોજીના મહ્તમ ઉપયોગ સાથે સહકારી પ્રવૃતિ અને ઓછા પાણીએ પણ સારૂ ખેત ઉત્પાદન મેળવવા નેનો યુરીયાની ઉપયોગીતાપર ભાર મુકવામા આવેલ .

કૃષિ , પશુપાલન સાથે જોતરાયેલ સહકારી પ્રવૃતિઓએ હવે અનેક ક્ષેત્રમા પદાપર્ણ તે દિશામાં પણ નિહાળવા યોગ્ય છે જેમા બિન ઉપજાઉ જમીનમાં વનિકરણ , સુર્ય પ્રકારને વિજ ઉત્પાદનમા કંન્વર્ટ કરવા સોલાર પેનલ , ફળદ્રુપ જમીનની યોગ્યતા , તંદુરસ્ત બીયારણ , વાતાવરણના અભ્યાસ થકી પાકોની વાવણી અને ઉત્પાદન સહિતમાં સમગ્ર વિશ્વને ભારત માર્ગદર્શક બળ પુરૂપાડી સહકાર થી સમૃધ્ધિ તરફના વૈશ્વિક પ્રયાસમા સામેલ થવા હાકલ કરી હતી .

Related Posts