ગુજરાત

ઘણાને ઘરનો શિરો ખીચડી જેવો લાગે છે અને પારકાની ગંધાતી ખીચડી માવા જેવી લાગે છે : નિતિન પટેલ

ગુજરાતમાં લોકસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવારોની સેન્સ સમયે મહેસાણા લોકસભા બેઠક પર દાવો કરીને પછી મારે ચુંટણી લડવી નથી તેવી જાહેરાત કરનાર પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ તેમનો ગુસ્સો કે આક્રોશ જાહેરમાં વ્યક્ત કરતા અચકાતા નથી. ભાજપ હવે આજે જ મહેસાણાના ઉમેદવાર જાહેર કરી શકે છે તે સમયે નીતીન પટેલ કડીમાં આયોજીત કાર્યક્રમમાં બળાપો કાઢતા કહ્યું કે આજકાલના આવેલા હવે અમને શિખવાડે છે. તેઓએ ભાજપમાં હાલ જ ભરતી ઝુંબેશ ચાલે છે અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીમાંથી આવો આવો કહીને સૌને કમલમમાં ખેસ પહેરાવી ‘રાષ્ટ્રભકત’ જાહેર કરી દેવાય છે તેની સામે પણ આક્રોશ દર્શાવ્યો અને કહ્યું અમો તો માર ખાઈને મરી ગયા હતા. (સંઘર્ષ કર્યો હતો) આમ ભાજપમાં જે ગણગણાટ ચાલે છે

તેને પણ આડકતરી રીતે સંકેત કર્યો હતો. મહેસાણાના કડી ખાતે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજકીય દીવાદાંસ્પદ નિવેદન આપ્યા જેને કારણે રાજકારણ ગરમાઈ શકે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં કહ્યું કે, અમે તો જુના છીએ ઘરનો શીરો બહાર ખીચડી જેવો લાગે અને પારકાની ગધાતી ખીચડી માવા જેવી લાગે. નીતિન પટેલે આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે મેં ચૂંટણી સમયે કહ્યું કે,ભરતને કંઈક મદદ કરો તો તેમને કહ્યું કે ભરત ના ચાલે.. બોલો ભરત કેમ ના ચાલે ? તમે આજકાલના આવેલા અને આજકાલના કડીમાં આવતા જતા થયા. કડી શું છે તમને ખબર નથી અને તમે અમને શિખામણ આપશો. કડીનો કયો કાર્યકર ક્યાં ચાલે તે અમને ખબર હોય. અને તેમાં પણ મારા જેટલી ખબર તો કોઈને નહીં હોય.

તટસ્થતાથી જાેવાનું અને કોઈની ચમચા ગીરી નહીં કરાવવાની. કોઈના એને નહીં કરી આપવાના. નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રજા મારી સાથે છે મારે કંઈ લેવાનું નથી કે કોઈ ચૂંટણીમાં ઊભું રહેવાનું નથી. હું કોઈ ઉમેદવાર નથી. હું ભાષણ આપું છું તે માટે તમે એવું ના સમજતા કે હું ચૂંટણીમાં ઉભો રહેવાનો છું.. આ ભરતભાઈ નીચે બેઠા છે જે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે અને તેઓ નીચે જમીન ઉપર બેઠા છે. માત્ર કડીમાં જ નહીં પરંતુ ગુજરાતમાં વિકાસ થયો હોવાનું કેહેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ઘરનો શીરો બહાર ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાતી ખીચડી માવા જેવી લાગે તે લોકોને હું આ કહી રહ્યો છું.રાજકીય કટાક્ષ કરતાં તેમને કહ્યું હતું કે નડનારા આજે પણ મળી રહ્યા છે પાછળ વાળા બદલાય, આગળ જઈને ખોટું કરનારા બદલાય પરંતુ સાચું હંમેશા આપણી પડખે રહ્યું છે. મોટેભાગે મારા મનમાં કંઈ ન હોય પણ કોઈ પકડાઈ દે.

પરંતુ ભગવાને આપણને બુદ્ધિ આપી છે તો પહેલા આપણે તે તપાસવું જાેઈએ અને પછી આગળ વધવું જાેઈએ. કોકની જમીન પચાવવામાં કોઈ મારો ઉપયોગ કરવા માગતું હોય અને હું મદદરૂપ ના થયો હોઉ તેવા લોકોના ચીઠ્ઠા લઈને ફરતા હોય તેવું મારું માનવું છે. હું કશું નહોતું ત્યારનો છું આજે તો ભરતી મેળો ચાલે છે આવો આવો.. બધું નાખી નાખીને આવે છે લોકો કોંગ્રેસમાંથી. અમે જ્યારે બધા લડતા હતા. માર ખાઈ ખાઈને મરી ગયા. ગોકુલને તો પોલીસે એવો મારે લો અને હું ત્યાં ગયો હતો. નિતીન પટેલે એક બાદ એક ગોફણીયા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે ધારાસભ્યની ગ્રાન્ટ કેટલી આવે છે તે મને ખબર નથી. જાે કોઈને ખબર હોય તો કહેજાે. હું જીતતો હતો ત્યારે ૮૦ ટકા હિસ્સો કડીનો થતો હતો. કડીની જનતાને એટલા માટે યાદ કરુ છું અને આજીવન યાદ કરતો રહીશ.

સતામાં હોઉ કે ન હોઉ કડીની જનતા ૧૯૭૭થી આપણને સ્વીકારે છે અને પ્રેમ આપે છે. બે જણા આગળ પાછળ ફરે અને ગાડીમાં સરકારી કચેરીમાં જાવ અને બે આંટા મારો એટલે નેતા નથી થઈ જવાતું. પાયાના મૂળમાં મહેનત કરવી પડે છે. વિકાસ માટે સતત મહેનત કરવી પડે છે, સતત ફલોપ પણ જવું પડે છે. આ બધું એટલા માટે કહુ છું કે ઘણાને ઘરનો શિરો ખીચડી જેવો લાગે છે અને પારકાની ગંધાતી ખીચડી માવા જેવી લાગે છે. તેમણે કહ્યું કે નિતીનભાઈનો વિરોધ કરે છે. કારણ કે કોકનું બીનખેતી (એનએ) રહી ગયુ હશે. તેમણે ખજુરાહો કાંડને યાદ કરતા કહ્યું કે સ્વ. અરવિંદભાઈ ઈશ્ર્‌વરલાલ અને અમે બધાએ નકકી કર્યુ હતું કે આ ન ચાલે. હું તે વખતે સરકારમાં હતો. કેશુભાઈના બંગલે બધી ગોઠવણો થતી હતી. મોદી સાહેબે અમને ઘણુ માર્ગદર્શન આપ્યુ હતું.

તેમણે કહ્યું કે ધારાસભ્યની મીટીંગમાં મે ઉભા થઈને કહ્યું કે આત્મારામ કાકાને મંત્રી બનાવવા હોય તો હું અત્યારે જ રાજીનામુ આપવા તૈયાર છું. આ બળવો શમી જતો હોય તો મારે મંત્રી રહેવાની જરૂર નથી. એ વખતે મોદી સાહેબ મને મળીને ભેટી પડયા એ વખતે મારી ઉંમર ૩૫ વર્ષની હતી અત્યારે બધા મને શિખામણ આપવા માટે નીકળ્યા છે. મારે શું કહેવું, શું કરવું પણ હું ૩૫ વર્ષની વયે પહેલીવાર મંત્રી બન્યો હતો અને રાજીનામાની ઓફર કરનાર પણ હું એકલો જ હતો. તેમણે એ પણ કહ્યું કે ૧૯૯૭માં તેઓએ (બળવાખોરોએ) વિપુલ ચૌધરીના ફાર્મમાં જઈને કેમ્પ કર્યો અને અમે ત્યાં પહોંચી ગયા. તેઓ દંડા અને તલવાર લઈને ઉભા હતા. હવામાં ફાયરીંગ કર્યું ત્યારે કડીથી ગયેલા લોકોએ મરચા નાંખ્યા અને નાસભાગ થઈ. કેશુભાઈએ મને પૂછયું તો મે કહ્યું કે મને ખબર નથી. બે-ચાર ધારાસભ્યો આડાઅવળા થઈ ગયા હોય તો આપણો હકક છે કે તેની પાછળ જવુ.

Related Posts